________________
સાંપરાય-દષ્ટિ અને અધ્યાત્મ-પ્રવેશ ૧૦૩ પળે પળે અંતરમાં ઊંડે ઊતરત જતો તે જન્મ પૂર્વેના ભૂતકાળમાંય ડૂબકી. મારી શકે ને મારશે. આ વસ્તુને જ પુનર્જન્મ કે પ્રારબ્ધનું જ્ઞાન કે સાંપરાય-દૃષ્ટિ જેવા શબ્દોથી શાસ્ત્રો વર્ણવે છે. આ પ્રકારે સ્મૃતિશક્તિથી કામ કરવાને માટે કોઈ અમુક સમયનું જ બંધન મનને નથી કે, આટલાં વર્ષોમાં જ કે આ જન્મમાં જ ગતિ હોય: એવી અવાધ છે જ નહિ. તેથી કરીને જ રાયચંદભાઈ દૃઢતાથી પુનર્જન્મ, પ્રારબ્ધ ઇ0ના જ્ઞાનની શ્રદ્ધા વ્યક્ત કરે છે. અને આ રીતે આ ગૂઢ પુનર્જન્મ-તત્ત્વને તેમણે કેટલાંક લખાણોમાં સમજાવેલું જોવા મળે છે. જેમ કે –
જાતિસ્મરણજ્ઞાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે?” એવા પ્રશ્નના જવાબમાં તેમનો (વવાણિયા, શ્રાવણ વદ ૧૧, શુક્ર, ૧૯૫૧) પત્ર છે તેમાં લખ્યું છે (શ્રી ૨ - પ. ૫૪૫) :
“નાનપણે કોઈ ગામ વતુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું જ્ઞાન થાય છે.”
વિ૦સં૦ ૧૯૫૪-૫માં શ્રીમદ્ મોરબીમાં લાંબું રહેલા તે વેળા તેમણે કરેલાં વ્યાખ્યાનોની નોંધ એક શ્રોતાએ લીધેલી, તેમાં એક વચન (નં. ૧૭૧) નોંધ્યું છે (શ્રી ૨- ૮૬૨) :
જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના “ધારણાનામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાછલા ભવમાં અસંજ્ઞીપણું ન આવ્યું હોય, ત્યાં સુધી આગળ આગળ ચાલી શકે છે.”
તેવો જ બીજો નેધ-રાંગ્રહ સં. ૧૯૫૬ના મોરબી-નિવાસ અંગે છે, તેમાં (શ્રી,૨ - ૮૭૫) સ્પષ્ટ ભાષામાં જણાવ્યું છે કે,
“જેમં બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org