Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 269
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા એક વખત શ્રી. રાજચંદ્ર સુરત પધાર્યા ત્યારે મુનિ પાસે આવ્યા. ત્યાં શ્રી દેવકરણજીએ તેમને પૂછ્યું, “ શ્રી લુજી મહારાજ હું જ્યારે વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે અને ધ્યાન ધરું છું ત્યારે તેને તરંગરૂપ કહે છે. તે શું, વીતરાગભુ, એમનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે?” ૨૩૦ શ્રી. રાજચંદ્રે શાંતિથી કહ્યું, “ સ્વચ્છંદથી જે જે કરવામાં આવે છે, તે સઘળું અભિમાન જ છે, અસત્સાધન છે; અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે, તે કલ્યાણકારી ધર્મરૂપ સત્સાધન છે. "" બીજી વખત પણ તે મુનિઓએ સુરતમાં જ ચાતુર્માસ કર્યો હતા. ત્યાંના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસથી માંદા રહેતા હતા, તે એ અરસામાં મૃત્યુ પામ્યા. શ્રી લલ્લુજીને પણ તે અરસામાં દશબાર માસથી મંદવાડ રહ્યા કરતા હતા; અને ઘણા ઉપચાર છતાં કંઈ ફાયદા થતા નહિ. એટલે તેમણે પોતાનો દેહ પણ છૂટી જશે એવી ચિંતાથી શ્રી. રાજચંદ્રને પત્ર લખ્યા, “હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમકીત પામ્યા વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે.” તેના ઉત્તરમાં શ્રી. રાજચંદ્ર તેમને ‘છ પદ 'નો પત્ર લખ્યો અને સાથે જણાવ્યું કે હાલમાં દેહ છૂટવાની બીક રાખવી નહિ. પછી શ્રી. રાજચંદ્ર સુરત પધાર્યા ત્યારે તે ‘છ પદ'ના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થ શ્રી લલ્લુજીને સમજાવ્યા અને તે પત્ર વારંવાર મુખપાઠ કરી વિચારવાની ભલામણ કરી. તે પત્ર એક સ્વતંત્ર પ્રકરણ જેવા, સૂત્રાત્મક શૈલીથી લખાયેલો છે. જૈન ધર્મનાં સાત તત્ત્વામાંથી પ્રથમ તત્ત્વ આત્મા, તેનું ઓળખાણ થવા માટે, આત્મા છે, 'આત્મા નિત્ય છે,’ આત્મા કર્તા છે,' આત્મા ભાક્તા છે,” ‘મેાક્ષ છે,' અને તે ‘મેાક્ષનો ઉપાય છે’– એ છ પદથી તે પત્રમાં અપૂર્વ નિરૂપણ કરેલું છે. તે પત્ર શ્રી. રાજચંદ્ર સાભાગ્યભાઈને પણ " • Jain Education International " For Personal & Private Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288