Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 273
________________ ૨૬૪ જ્ઞાની ભક્તની પ્રતિભા - છે, એકતા છે, એમાં સમજફેરથી ભિન્નતા માનો છેા – એમ તે જીવોને શિખામણ પ્રાપ્ત થાય તે સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે. જ્યાં સુધી અન્યોન્ય એકતા-વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે. ” સંવત ૧૯૪૫માં શ્રી. રાજચંદ્રને મારબીમાં ત્રણ માસ રહેવાનું બન્યું હતું. તે પ્રસંગે થયેલાં વ્યાખ્યાનોની એક ભાઈએ લીધેલી નોંધ શ્રીમદ્રાજચંદ્ર ` ગ્રંથમાં ‘વ્યાખ્યાનસાર' નામથી પ્રસિદ્ધ થયેલી છે. < શ્રાવણ માસની શરૂઆતમાં શ્રી. રાજચંદ્ર પેટલાદ થઈ કાવિઠા ગયા, અને ત્યાં એક માસ અને નવ દિવસ સુધી નિવૃત્તિમાં રહ્યા. શ્રી. અંબાલાલ તેમની સાથે હતા. શ્રી લલ્લુજી વગેરેનું ચામાસું વસેામાં હતું અને શ્રી દેવકરણજી આદિનું ખેડામાં ́ હતું. તેથી શ્રી. રાજચંદ્ર કાવિઠાથી નડિયાદ થઈને વસા પણ ગયા હતા. શ્રી લલ્લુજીને મુંબઈ સિવાય કયાંય બે ચાર કે છ દિવસથી વધુ સમાગમનો પ્રસંગ બન્યો નહોતા એટલે આ વખતે તેમણે શ્રી. રાજચંદ્રને એકાદ માસ ત્યાં રહેવા વિનંતિ કરી. શ્રી. રાજચંદ્ર તે પ્રમાણે ત્યાં રહ્યા હતા. દિવસે ગામના લોકોની ભીડ રહેતી. એટલે મુનિને મળવાનું પાતે બહાર જાય ત્યારે રાખ્યું હતું. તે પ્રમાણે એક દિવસ વનમાં વાવ પાસે શ્રી. રાજચંદ્ર મુનિ સાથે વાતચીત કરતા બેઠા હતા. તે વખતે તેમણે મુનિઓના – સવારમાં ચા, બપોરે ભિક્ષા અને છીંકણી, પછી શયન વગે૨ે – કાર્યક્રમથી ખિન્ન થઈ શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું કે, બીજા મુનિઓનો પ્રમાદ છેાડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય અને ધ્યાન કરવામાં તમારે કાળ વ્યતીત કરાવવા; તમારે સર્વેએ દિવસમાં એક વખત આહાર કરવા; તથા ચા અને છીંકણી વિનાકારણે હંમેશાં લાવવાં નહિ. (અને) તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવા. મુનિ મેાહનલાલજીએ કહ્યું, “મહારાજશ્રી તથા દેવકરણજીની અવસ્થા થઈ છે. એમને ભણવાનો જોગ કયાંથી બને ?” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288