Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 276
________________ પરિશિષ્ટ - ૧ २५७ પડયા રહો છે? વર્તમાનમાં માર્ગ એવા કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવા પડયો છે તે અમારો આત્મા જાણે. છે.” એક વખત મેાતીલાલનાં પત્ની દર્શન કરવા આવ્યાં હતાં તેમને પણ તેમણે જણાવ્યું હતું: “પ્રમાદથી જાગૃત થાઓ. કેમ પુરુષાર્થરહિત આમ મંદપણે વર્તે છે? આવા જોગ મળવા મહા વિકટ છે. મહા પુણ્યે કરી આવા જગ મળ્યો છે, તે વ્યર્થ કાં ગુમાવે છે? જાગૃત થાઓ !” શ્રી. રાજચંદ્ર ફરવા જતા ત્યારે ચિંતનમાં કે ધ્યાનમાં લીન રહેતા. તેમને શરીરનું પણ ભાન રહેતું નહિ. એક વખત નવા જોડા પહેરેલા તે ડંખીડંખીને ચામડી નીકળી ગયેલી, પણ તેની તેમને ખબરે નહિ પડેલી. "C શ્રી દેવકરણજી આદિ મુનિએ આ વખતે ખેડામાં હતા. તેમને તેવીસ દિવસ શ્રી. રાજચંદ્રનો સમાગમ રહ્યો હતા. તે શ્રી લલ્લુજી” ઉપરના એક પત્રમાં લખે છે: (શ્રી. રાજચંદ્રના) સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે, ‘શરીર કૃશ કરી, માંહેનું તત્ત્વ . શેાધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. વિષયકષાયરૂપી ચારને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, ફૂંકી મૂકી શાંત થાઓ; છૂટી જાઓ, શમાઈ જા — વહેલા વહેલા તાકીદ કરો.’’ આ સમાગમ દરમ્યાન . દેવકરણજીની શ્રી. રાજચંદ્ર ઉપરની આસ્થા પૂર્ણ થઈ. તેમણે ઉપલા જ પત્રમાં લખ્યું છે: આપે કહ્યું તેમ જ થયું. ફળ · પાકયું, રસ ચાખ્યા, શાંત થયા. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મેાક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુ દેવે (શ્રી. રાજચંદ્ર ) પૂર્ણ કૃપા કરી છે. એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ.બાકી તે સદ્ગુરુસેવામાં કાળ વ્યતીત થાય છે. તેનું જ તે વાકય તે મુખમાંથી જ્યારે શ્રાવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે.' 66 . ...... "" ચોમાસું ઊતરતાં બધા મુનિ વસા અને ખેડાથી નડિયાદ આવ્યા અને થોડોક કાળ શ્રી. રાજચંદ્રના સમાગમમાં નડિયાદ જ Jain Education International ...... For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288