Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 258
________________ ઉપસંહાર ૩૪ મું સમાધિમાન પ્રકરણ શ્રી. મગનભાઈ દેસાઈએ પ્રેસ માટે તૈયાર કરીને આપ્યું નહોતું – તેમના અવસાન બાદ તેમના કાગળામાંથી મળ્યું હતું. તે જેમનું તેમ આ પુસ્તકમાં સામેલ કરી લીધું છે. ત્યાર પછી તેમનો વિચાર આગળ નીચે પ્રમાણે પ્રકરણા લખવાનો હોય, એમ તેમના અનુક્રમણિકામાં કરેલા ટાંચણ ઉપરથી જણાય છે 66 ‘હવે પછી પ્રકરણ-વિચાર (૮-૧૧-૬૮) ૩૫. આત્મસાગરને વારે 66 ૩૬. “ આત્મસિદ્ધિ ”શાસ્ત્ર ૩૭. નિવૃત્તિની ઉપાસના ૩૮. એકાંત પ્રવાસનાં વર્ષ. ઇંટ ઇ” ~ આમાંથી પ્રકરણ ૩૮ ને પ્રકરણ ૩૫ પછી ૩૬ મા તરીકે લેવું એવી બાણ-નિશાની બાજુમાં કરેલી છે. આ બધાં પ્રકરણેામાં તે આગળ કેવી રીતે વધવા માગતા હતા, તેનું બીજું કશું ટાંચણ મળી શકયું નથી. - શ્રીમદ્ રાજચંદ્રે એકાંત-પ્રવાસમાં છેવટના દિવસેા ગાળ્યા હતા. શ્રી. મગનભાઈ દેસાઈ એ બધાં સ્થળાએ જાતે જઈ આવી એ વિષે ૩૮મું પ્રકરણ લખવા માગતા હતા. તે માટે અમદાવાદના શ્રી. ત્રીકમભાઈ મહાસુખરામને વાત કરતાં તેમણે તે બધાં સ્થળોએ તેમને લઈ જવા પણ તૈયારી બતાવી હતી. પરંતુ છેવટ સુધી તેમ થઈ શકયું નહિ. Jain Education International ૨૪: For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288