Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 265
________________ ૨૫૬ જ્ઞાની ભકતની પ્રતિભા શ્રી. રાજચંદ્ર તેમને પૂછયું, “તમારી શી ઈચ્છા છે?” શ્રી. લલ્લુજીએ વિનયપૂર્વક હાથ જોડી કહ્યું, “આત્માની ઓળખાણ અને બ્રહ્મચર્યની દૃઢતાની મારી માગણી છે.” શ્રી. રાજચંદ્ર થોડી વાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” પછી. તેમણે સ્વામીજીના પગનો અંગૂઠો તાણી તપાસી જોયો અને ઘેર જતાં અંબાલાલને કહ્યું કે, “આ પુરુષ સંસ્કારી છે.” બીજે દિવસે તે શ્રી લલ્લુજી જાતે જ શ્રી. રાજચંદ્રને મળવા શ્રી. રાજચંદ્રને ઉતારે આવ્યા. ત્યાં એકાંતમાં શ્રી. રાજચંદ્ર તેમને પૂછયું,. “તમે અમને માન કેમ આપો છો?” તેમણે નમ્રતાથી કહ્યું, “આપને દેખીને અતિ હર્ષ-પ્રેમ આવે છે. જાણે અમારા પૂર્વ ભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે. કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” શ્રી. રાજચંદ્ર ખંભાતમાં સાત દિવસ રહ્યા. ત્યાં સુધી શ્રી લલુજી રોજ શ્રી. રાજચંદ્રના સમાગમને અર્થે તેમને ઉતારે આવતા. એક દિવસ તેમણે શ્રી. રાજચંદ્રને કહ્યું, “હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, અને ધ્યાન વગેરે કરું છું. છતાં માનસિક પાલન, બરાબર થઈ શકતું નથી.” શ્રી. રાજચંદ્ર કહ્યું, “લોકદૃષ્ટિએ (તે બધું) કરવું નહિ. લેકદેખાણ તપશ્ચર્યા કરવી નહિ. પણ સ્વાદનો ત્યાગ થાય તેમ જ પેટ ઊણું રહે તેમ ખાવું.” સ્વામીજીએ પછી કહ્યું, “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.” શ્રી. રાજચંદ્રે કહ્યું, “આત્મા છે એમ જોયા કરો.” શ્રી દેવકરણજી નામના સાધુ શ્રી લલ્લુજીના શિષ્ય ગણાતા હતા. તે કુશળ વ્યાખ્યાતા હતા. એક વખત શ્રી લલ્લુજીની સાથે તે પણ ફરતા ફરતા સુરત આવ્યા હતા. ત્યાં તેમનાં વ્યાખ્યાનો મુંબાઈના કેટલાક વેપારીઓએ સાંભળ્યાં. તે ઉપરથી તેમણે તેમને મુંબઈ પધારવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288