________________
૧૭ સાંપરાય-દુષ્ટિ અને અધ્યાત્મ-પ્રવેશ
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવનના, અપાત્ર અંતર જ્યોત. કરી કલ્પના દૃઢ કરે નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિરધાર. આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ.”
| (શ્રી.૧- પા.૨૨૦) સુશીલ જીવનચર્યાનું ચારિત્ર્ય, સમ્યગ્દર્શન-પરાયણ તત્ત્વજ્ઞાનાવબોધ, અને તન્યૂલક ભાવનાબોધ તથા વૈરાગ્યભાવનું અનુશીલન – આ મુખ્ય વસ્તુઓ રાયચંદભાઈના જીવનમાં પ્રબળ બની; તેમાં મૂળ એમની સહજ-પ્રતિભાનાં બે લક્ષણ કારણરૂપ કહી શકાય:- ચમત્કારી અવધાનશક્તિ અને સત્યશીલ ઋજુતા. આ ગુણોથી મનુષ્ય ધર્મ-જીવનમાં મંડ્યો રહે, તે ચોથો પુરુષાર્થ એમાંથી આગળ ઉદ્ભવે છે.
રાયચંદભાઈની આવી ચરમ-પુરુષાર્થ-ગતિ પણ એમની અવધાનશક્તિ અને સત્યશીલતાને જ પરિપાક હતો. તેથી જ, – અગાઉ આપણે જોયું એમ, – અવધાન-બળના રાજસ પ્રભાવની વાસનામાંથી નીકળીને સાત્ત્વિક અધ્યાત્મતામાં તે બળનો ઉપયોગ તેમણે કર્યો. એ જ અવધાનબળને પોતાના જ અંતરના ઊંડાણમાં વાળીને તે પોતાના પ્રારબ્ધ અને પૂર્વજન્મ વિશે જ્ઞાન મેળવીને અધ્યાત્મ-પ્રવેશમાં દૃઢ બન્યા હતા. કેવળ જડવાદમાંથી આત્મવાદની પ્રતીતિ મેળવી હતી. અનાત્મમાંથી આત્મત્વમાં, જડમાંથી ચેતનની પ્રતીતિમાં જવું, એ “નામાંથી બહા'માં જવા જેવો અફાટ વિસ્તાર ઓળંગવા જેવી જ વાત ને? આ કેમ કરતાં બનતું હશે? દરેક સાધકના જીવનના પ્રારંભે આમ બને જ છે; નચિકેતા અને
જ્ઞા૦-૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org