________________
જૈન ધર્મતત્વનિષ્ઠા આંગ્લભૌમીઓ સંસાર સંબંધી અનેક કલાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે? – એ વિચાર કરતાં આપણને તત્કાલ જણાશે કે, તેને બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું. કલાર્કીશલ્યના
એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષની ઊભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું? તે ઉત્તરમાં એમ આવશે કે, લક્ષ્મી, કીર્તિ અને અધિકાર.”
આમ, યુરોપથી અંગ્રેજ પ્રજાના રાજ્યમાં હિંદમાં જે નવો સુધારો જોવા મળે, તેને એક્ઝપાટે આ પ્રકારે સાર-કયાસ કાઢીને કવિ તે પાઠમાં આગળ લખે છે –
“એ એમનાં ઉદાહરણ ઉપરથી એ નીતિનાં કલાકૌશલ્યો શોધવાને હું અહીં બંધ કરતો નથી, પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા, તેમ જ ધર્મવિદ્યાને પ્રફુલિત કરવા એક મહાન સમાજ સદાચરણી, શ્રીમંત અને ધીમંત બંનેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે, એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદ-મતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા
જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી, કીર્તિ, અને અધિકાર સંસારી કળાકશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તે સર્વ સિદ્ધિ સાંપડશે. મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઇચ્છું છું કે, તે કૃત્યની સિદ્ધિ ઉચિત થઈ જેનાંતર્ગચ્છ-મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્ય-મંડળનું લક્ષ્ય આવો; અને મમત્વ જાઓ.’
આમ એક દીદ અને વ્યાપક દૃષ્ટિએ, પૂર્વ અને પશ્ચિમની બે સંસ્કૃતિઓના મિલનરૂપ હિંદના અંગ્રેજ શાસન-સમયે, “સમાજની અગત્ય વિચારતાં શું ઉચિત કાર્ય છે, તે આમ નિરૂપે છે. એમાં રાયચંદભાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org