Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh Author(s): Kantilal N Shah Mumbai Publisher: Kantilal N Shah Mumbai View full book textPage 6
________________ [૨] ન્યૂયોર્કના પત્રકારને આપેલી એક મૂલાકાતમાં પૂ. મુનિશ્રીએ આ બાબત વિશે સ્પષ્ટતા કરેલી છે. તેમણે કહ્યું છે. અમે ભારતભરમાં ત્રીસ હજાર માઈ લને પ્રવાસ ત્રીસ વર્ષમાં કર્યો છે, પણ પગપાળા જ, પણ હવે વિમાનને ઉપયોગ કર્યા વિના ચાલે તેમ નથી.” જિનિવારે આ પ્રવાસ ૧૯૭૦ માં જા હતે. સ્વીઝરલેન્ડમાં તેમને નિમંત્રણ મળયું હતું અને પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ આ પરિષદમાં હાજરી આપવાના કરેલા નિર્ણયથી જૈન સમાજમાં ખળભળાટ મચી ગયું હતું. પૂ. મુનિશ્રીએ ન્યૂયોર્કના પત્રકાર સમક્ષ આ વિશે કહ્યું છે “હું જિનિવા જઈશ એમ ઘણા જૈન અગ્રણીઓ માનતા ન હતા.” પછી પિતાનું શિર ધૂણાવતાં તેમણે ઉમેર્યું હતું: “પણ જગત કેટલું બધુ પલટાઈ ગયું છે. અને અમારે માનવવિકાસ સાથે કદમ મિલાવવા જ રહ્યાં ?” પિતાની સાથે સંપ્રદાયવાદીઓએ કે વિરોધ વંટેળ જગાડ્યા હતા તેને નિર્દેશ આપતાં મુનિશ્રીએ કરુણાથી કહ્યું હતું: “હું જ્યારે મુંબઈના સાંતાક્રુઝ વિમાનમથકે પહોંચે ત્યારે પ્રશંસકે સાથે મારી સામે વિરોધના મોટા દેખાવો યોજતા પણ સે-એસે લેકે જમા થયા હતા. મને જાતે અટકાવવા માટે એમણે ઘણા અનીચ્છનીય પ્રયત્ન કર્યો. પણ મેં મારા આવાજને ન રૂં.” પૂ. મુનિશ્રી પછી તે વિમાનમાં ચડ્યા હતા અને વિમાનમાં તરત જ નિદ્રાધીન બની ગયા હતા. આરામથી તાઝગી મેળવી, પરિષદ માટેની પૂરી સજજતા સાથે તેઓ જિનિવા આવી પહોંચ્યા હતા. એ ગૌરવભર્યો પ્રસંગ જૈન ધર્મમાં એક ઉજજ્વલ ઈતિહાસ બની ગયું છે. એ જિનિવામથી તાવ અને વિમાન એ પછી બીજે વર્ષે ત્રીજી જુલાઈ ૧૯૭૧ ના રેજ આરિકાના સંઘના નિમંત્રણને માન આપી પૂ. મુનિશ્રી ચિત્રભાનુ કેનિયા, યુગાન્ડા અને તાન્ઝનિયા ગયા અને ત્યાં જૈનધર્મને પ્રકાશ પાથર્યો. ત્યાંથી આઠ દિવસ માટે લંડન પધારી ત્યાંની જનતાને તેમની ધર્મભાવનાનો લાભ આપે. બાદ પૂ. મુનિશ્રી નિરમિષાહાર (શાકાહાર) વિશેની વિશ્વપરિષદમાં ભાગ લેવા હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32