Book Title: Chaitanyavad Author(s): Vijaylakshmansuri Publisher: K M Himmatlal View full book textPage 9
________________ ( ૮ ) ચૈતન્યવાદ શું મારું શું પાકું, વિવેક એ ભૂલી ગયા, પુદ્દગલાન‘ઢી બનીને આડાઅવળા આથયા... આપણી શક્તિના આપણને ખ્યાલ નથી. એક ટચલી આંગળીના ટેરવે આખાય બ્રહ્માંડને ડાલાવવાની તાકાત આ આત્મામાં છે. કાચના ઘરમાં પૂરાયેલું કૂતરું-પોતાના જ પ્રતિબિંબરૂપ કૂતરાઓને જોઇને પેાતાની દશાના ખ્યાલના અભાવે ફ્રાગટ ભસી મરે છે. તેવી જ રીતે આ આત્મા પણુ આ જગતમાં મારું-મારું કરીને મરે છે, વ્યર્થ જીવન પૂરુ' કરે છે. એક અંગ્રેજે, મનુષ્યના આખા શરીરની કિ`મત ફક્ત પાણા એ રૂપીયા આંકી છે ( મુડદારૂપ શરીરની ) જ્યારે જનાવરની ક'મત એનાથી કઇગુણી વધી જાય છે, કિંમત છે આત્માની. અનાર્યાં આત્માને માનતા નથી માટે તે સંબધી વિચાર ન કરે એ વાત જુદી છે પણ આપણે આય છીએ, આત્માને માનીએ છીએ, ધર્મને માનીએ છીએ છતાં તેના વિચાર સરખાય કરતા નથી એ બહુ જ શાચનીય છે. અનાયાં, જડવાદના વિકાસમાં પ્રાણ પાથરે છે. જે ક્ષણવિનશ્વર છે એના માટે આખીય જિં'Āગી ચાહામ કરે છે તે જે આત્મા અમર છે, જેનાથી સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે છે, તેના માટે શું પ્રયત્નની જરૂર નથી ? આત્માને ઓળખી, જીવને અજવાળી શાશ્વત સુખના ભોક્તા અનેા એ જ એક અભિલાષા, હવે પૂ. ગુરુદેવ, આ વિષયને યુક્તિપુરસ્પર સમજાવશે તે સાંભળી, જીવનમાં ઉતારી મુક્તિના પૂનિતપંથે સૌ પ્રયાણુ કરે. એ જ અભ્યર્થના.... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48