Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 40
________________ ચૈતન્યવાદ ( ૩૯) વગર ચાલે નહિ-ભલે પછી છાતી બળી જાય. ચા એક વાર નહિ પણ ઓછામાં ઓછા અડધો ડઝન કર્યું તે જોઈયે જ આપણું કચરાપટ્ટી ખોરાકે શરીરની શક્તિને ક્ષીણ કરી નાંખી. રેગે વધ્યા, ડોકટરોના ખરચા વધ્યા. કૉડલીવર ઑઇલ જેવી અભક્ષ્ય દવાઓ ગટગટાવાનું મન થયું. આજના સિનેમા નાટક, વિષયવિકારની ભાવનાને પ્રદીપ્ત કરી. આજની નવેલેએ જીવનને વિકૃત બનાવ્યું. આજના ભણતરે માણસને સ્વચ્છેદ બનાવ્યું. અનીતિ વધી એટલે ભાવનાઓ બગડી...ધર્મકર્મને ભૂલ્યા..એકેક વસ્તુ આપણને પાયમાલ કરનાર છે પણ આંખ કયાં ઉઘડે છે? આજ તે દીવ લઈને ફ પડવા જેવી સ્થિતિ થઈ છે. રાજાને રબારીના ભેજનથી ભારે તૃપ્તિ થઈ. એ લેકેને , ઘણે ઉપકાર માન્યો. રાજા ત્યાંથી રવાના થાય છે. રવાના થતાં સૌને જણાવ્યું–અલ્યા! ભાવનગર જાણે છે કે નહીં. ? હું ત્યાંને રાજા છું. મારું નામ વિજયસિંહ છે. તમે જરૂર ભાવનગર આવજે. આવે ત્યારે મારું નામ પૂછી મારા મહેલમાં ઉતરજે. સમજ્યાને? ઉપકારીને કેમ ભૂલાય? આ હતી આર્ય સંસ્કૃતિ, આજ તે ઉપકારીને જ નાશ થાય છે. ઉપકારીઓ સામે ચેડા કાઢવામાં આવે છે. કૂતરા જેવું જાનવર પ્રાણ પણ વફાદાર હોય છે. માલીકનું રક્ષણ કરે છે ત્યારે આજનો માનવી ખાય એનું જ ખેદે છે. કેટલી નપાવટતા ? મોટામાં મોટે ઉપકાર આપણુ ઉપર દેવ, ગુરુ અને ધર્મને છે. એને જ આપણે ભૂલી ગયા. એના સ્થાને આજે લક્ષ્મી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48