________________
કરવા લાયક પદાર્થો છે તેમાં ગ્રહણ કરવા લાયક રૂપે ચિંતન, મનન કરવા માટે મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા કાયાનો ત્યાગ કરવો એને જ્ઞાની ભગવંતોએ ધ્યાન કહેલું છે.
એ ધ્યાનની એકાગ્રતા કાયાનું હલન ચલન ચાલતું હોય તો જીવને પેદા થઇ શકતું નથી માટે સૌથી પહેલા કાયાના મમત્વને ઘટાડવાના હેતુથી કાયાને વોસીરાવીને એટલે કે જે આસને કાયા રાખેલી હોય તે આસને સ્થિર કરીને પદાર્થોની ચિંતવના અને વિચારણા કરવાથી એકાગ્રતા પૂર્વક ચિંતન થઇ શકે છે.
અત્યારે વર્તમાનમાં કેટલા શ્વાસોચ્છવાસમાં કેટલા પદાર્થનું ચિંતવન કરવું એનું જ્ઞાન ન હોવાથી કાઉસગ્નને વિષે આર્તધ્યાન અને રોદ્રધ્યાનના પરિણામ જીવોને પેદા ન થાય એ હેતુથી મહાપુરૂષોએ લોગસ્સના કાઉસ્સગનું અને નવકારના કાઉસ્સગનું વિધાન કરેલું છે.
(૧) આઠ શ્વાસોચ્છવાસના કાઉસ્સગમાં એક નવકારનો કાઉસ્સગ કહેલો છે.
(૨) પચ્ચીશ શ્વાસોચ્છવાસના કાળમાં એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા પદ સુધીનો કહેલો છે. એક પદ = એક શ્વાસોચ્છવાસ સમજવો આથી પચ્ચીશ પદ બરાબર પચ્ચીશ શ્વાસોચ્છવાસ ગણાય છે. જે જીવોને લોગસ્સ ન આવડે તેવા જીવોને માટે ચાર નવકારના કાઉસ્સગ કહેવાય છે. ચાર નવકારના બત્રીશ શ્વાસોચ્છવાસ થાય છે. ત્રણ નવકારના ચોવીશ શ્વાસોચ્છવાસ અને નવકારનું એક પદ છુટું પાડવાનું ના હોવાથી આખો નવકાર કહેલો જણાય છે માટે ચાર નવકાર કહેલા જણાય છે આથી એ નક્કી થાય છે કે કાઉસ્સગમાં મોટે ભાગે લોગસ્સની કિંમત અને જરૂરીયાત છે જે જીવો ભણી શકે એમ ન હોય, ગોખેલું યાદ ન રહેતું હોય, વાંચતા ન આવડતું હોય એવા જીવોને માટે ન આવડે તો ચાર નવકારનું વિધાન છે એમ સમજવું આથી આજ્ઞા મુજબ લોગસ્સ કરી કાઉસ્સગ કરવો એજ હિતાવહ જણાય છે.
(૧) રાત્રિના પ્રાયશ્ચિત રૂપે પચાસ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કહેલો છે એટલે કે બે લોગસ્સનો કાઉસગ કરવાનું વિધાન છે. રાઇ પ્રતિક્રમણમાં અતિચારની ગાથના કાઉસ્સગ પહેલા એક એક લોગસ્સનો કાઉસ્સગ આવે છે તે સમજવો.
(૨) દિવસના પાપના પ્રાયશ્ચિત રૂપે એક સો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કહેલો છે.એ આચરિય વિઝાયે પછી બે લોગસ્સ. એક લોગસ અને એક લોગસ્સ એમ ચાર લોગસ્સનો કાઉસ્સગ આવે છે તે સમજવો.
(૩) વિજ્ઞ નિવારણ માટે શાંતિનો કાઉસ્સગ ૧૧૨ શ્વાસોચ્છવાસનો કરવાનું વિધાન છે જે કારણે ચાર લોગસ્સનો સંપૂર્ણ કાઉસ્સગ આવે છે.
(૪) રાતના કોઇ ખરાબ સ્વપ્ર આવેલું હોય અથવા ચોથા વ્રત સંબંધી વિચારણા પેદા થયેલી હોય તો સવારના ૧૦૮ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરવાનું વિધાન છે એટલે ચાર લોગસ્સ સાગરવર ગંભીરા સુધીના કાઉસ્સગ કરવા.
(૫) પંદર દિવસના પ્રાયશ્ચિત રૂપે ૩૦૦ (ત્રણસો) શ્વાસોચ્છવાસના કાઉસ્સગનું વિધાન છે જે બાર લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધીના કરાય છે.
(૬) ચાર મહિનાના પાપના પ્રાયશ્ચિત રૂપે પાંચસો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરવાનું વિધાન છે. જે વીશ લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાઉસ્સગ કરાય છે.
(૭) બાર મહિમાં થયેલા પાપના પ્રાયશ્ચિત રૂપે એક હજાર આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરવાનું વિધાન છે જે ચાલીશ લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધીના કરવાથી એક હજાર શ્વાસોચ્છવાસ થાય
Page 30 of 67