Book Title: Anubhav Prakasha Pravachan Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] અહીં ગ્રંથાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. મુમુક્ષુઓ તેનો અતિશય એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરીને આત્મિક સુધારસનો અનુભવ કરી શકે એવી આંતરિક ભાવના થતાં શ્રી મૂળજીભાઈ ચત્રભુજ લાખાણીએ આ પ્રવચનોની આ આવૃત્તિ તેમના સુપુત્ર સ્વ. શ્રી ભાનુભાઈના ચિન્મય આત્માના સ્મરણાર્થે મુમુક્ષુઓને વાંચન, મનન અને નિદિધ્યાસન માટે ભેટ આપવા છપાવેલ છે. તેનો સઘળો ખર્ચ તેમણે આપ્યો છે. તેમનું આ કાર્ય અતિ પ્રશંસનીય અને અનુકરણીય છે. આ બધાં પ્રવચનો શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠે અત્યંત ચીવટપૂર્વક તપાસી આપ્યાં છે તેમ જ આ પ્રવચનોના પ્રકાશન માટે સલાહુ-સૂચન આપીને અનેક પ્રકારે સહાયતા કરી છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે. મુમુક્ષુઓ અતિશય ઉલ્લાસપૂર્વક આ પ્રવચનોનો અભ્યાસ કરી, ઉગ્ર પુરુષાર્થથી શુદ્ધાત્માનો અનુભવ કરવા માટે સતત પ્રયત્નશીલ બની, પરમાનંદને પામો. રાજકોટ સં. ૨૦૧૯ ફાગણ વદ, ૩ રામજી માણકચંદ દોશી પ્રમુખ, શ્રી રાજકોટ દિગંબર જૈન સંઘ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 427