Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 27
________________ A-૧૧ ધવરાવવાનું બંધ થાય એટલે તમારે પાંજરાપોળમાં તમારા ગાડામાં મોકલી આપવા. મેં પાંજરાપોળમાંથી પરમીટ હાફ ચાર્જથી લાવી આપેલી. મરી જતાં પાડાને ઉપાડવાને રૂા. ૧) ફી હતો. પાંજરાપોળમાં આઠ આનામાં દાખલ કરવાનું નકકી કર્યું. આ રીતે વરસો સુધી નાના બચ્ચાઓ પાંજરાપોળમાં મુક્યા હતા. અહિંસાનું મનમાંહી રટણ સદા, ચંદ્રસમી શીતળ દયા, માર શબ્દો વદે જ શા માટે ? હરદમ દીલે જીવદયા. એક દીવસ વાંદરાનું કત્તલખાનું જોવા ગયા. આ ભારતનું પશુધન કઈ રીતે કત્તલ થાય છે, તેને પ્રત્યક્ષ અનુભવ કરવા અને હૃદયમાં તેને પ્રત્યાઘાત પાડવા આ સાહસ ખેડ્યું. ગાની, બકરાની કત્તલ નજરે જોઈ હૃદયને ખુબજ મજબુત બનાવી આખો ચિતાર લીધો. તેનાં હાડકા, ચામડા, લેહી, ખરી, સીંગડા વગેરેને શું ઉપયોગ થાય છે. આ બધા વ્યાપારમાં આપણા સમાજને પણ કેટલો ભયંકર હિસ્સો છે. કત્તલમાં માંસાહારીઓ સાથે આપણું કેટલી બધી ભાગીદારી છે. આપણે તે વસ્તુઓનો વ્યાપાર કરી તેનો ઉપયોગ કરી કેટલું ઉત્તેજન આપીએ છીએ. આ કત્તલ કેમ અટકે? આપણી ફરજ શું ? સરકારની ફરજ.શું ? આ પશુધનની હિંસાથી દેશને સમાજને કેટલું નુકશાન વી. સચોટ રીતે લેખ લખેલ. સામયિકોમાં તે હદયદ્રાવક ચિત્ર વાંચી અનેક રડી પડેલ. હિંદનું હણાતું હીરનું કાવ્ય વાંચી એક ગુર્જર કવીએ લખેલું કે“હિંદનું હણાતુ હીર વાંચી, ઉમી વધશે અંતરમાં, છવદયાની મદદ ઉપર આ પ્રશ્નને ઉકેલ અશક્ય હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50