________________
A-૨૩
બીજાપુર-બાગલકોટ–ગુલબર્ગા રાયચુરમાં સાયકલને ધંધ કરે છે અને સૌ સુખી છે, તેની અમારે કાંઈ ઉપાધી નથી. મારા પૂજ્ય પિતાશ્રી સંવત ૨૦૪નાં ભાદરવા વદી ૯ ના બીજાપુર ખાતે અવસાન પામ્યાં હતા. મારા વડીલ ભાઈ શ્રી પુરૂષોતમદાસ દીયાળભાઈ ભાદરવા વદી ૩ના રોજ પર ગામ મુકામે અવસાન પામેલા, તેમજ મારા વડીલભાઈશ્રી પિપટલાલ પણ સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૬ના રોજ પચ્છેગામ ખાતે અવસાન પામેલ; મારા પૂજય માતુશ્રી ટબલભાઈ ૨૦૨૦ના આસો વદી ૧૪ દીપોત્સવી દીને સમાધીપૂર્વક અવસાન પામ્યા હતા. તેમનાં અંતિમ દર્શને અમે બન્ને બીજાપુર જઈ બે માસ સાથે રહી આરાધના કરાવી આશિર્વાદ પ્રાપ્ત કરેલાં.
આ તીર્થમાં પણ જીવદયાની પ્રવૃતી ચાલે છે. સંસ્થામાં પારેવાને જુવાર, કુતરાને રોટલા, ઉનાળામાં ગાયોને ઘાસ, પણને અડે મધ્યમવર્ગ રાહત, દર્દીઓને દવા. વિગેરે કાર્યો થઈ રહ્યા છે. તીર્થકમિટીનાં સૌ સભ્ય સાહેબ મુરબ્બી શ્રી છોટાલાલભાઈ નાનચંદ તથા મુરબ્બી શ્રી વલભદાસભાઈ ગુલાબચંદ વગેરેની મારા પ્રત્યે અમદષ્ટિ છે. સંસ્થાનું સુકાન વિશ્વાસપૂર્વક પ્રગતી કરી રહ્યું છે. તળાજા સંઘને પણ સુંદર સહકાર છે. તીર્થકમિટીનાં પુન્યવંત પ્રમુખશ્રી સરળ સ્વભાવી આત્મા છે. જીવનનાં ધ્યેયમાં જીવદયા એ મુખ્ય જીવનમાં વણાયેલી હોવી જોઈએ. જીવદયા વગરનું જીવન પશુ સમાન છે. જ્યાં જીવદયા છે ત્યાં માનવતા છે. પરદયામાંથી સ્વદયા પ્રાપ્ત થતા આત્મપ્રાપ્તિ થાય છે. કરૂણા, દયા ને અનુકંપા એ માનવ જીવનની મહત્તા છે. સર્વજીવ પ્રત્યે દયાભાવ રાખે એ સર્વે ધર્મોને સાર છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com