________________
A-૧૪
પાછા કાઢયા. હું સાંતાકુજ જઈ શ્રી માન્યરભાઈને મળે અને મારા સાહસની હકીકત જણાવી તે વખતે શેઠ લલ્લુ ભાઈને વલસાડમાં અઠ્ઠાઈ હતી. આ ભેંસે છેડાવાને પાંજરાપોળ મેકલાવી આવા આવા અનેક પ્રસંગો અભયદાનનાં બન્યા છે. અને તે અંગે આત્મવિશ્વાસ પૂર્વક પ્રવૃત્તિ કરી હજારે જીવેનાં અભયદાનમાં નિમિત્ત થયે છું. શેડ લલ્લુ ભાઈ મારા જીવદયા ક્ષેત્રમાં પિતા હતા. અને શ્રી માન્કરભાઈ મારા ગુરૂ છે. તેઓશ્રીની પ્રબળ પ્રેરણાથી મારું જીવન જીવદયાના પંથે પ્રગતી કરી શકયું. હિંમત ઘણું આપી મને, શ્રીમાન લલુભાઈએ; ને પ્રેરણા પાઈ મને, શ્રીયુત માકરભાઈએ. ઉપકાર માનું સર્વને, ભૂલું નહિં હં જીવદયા; ઝંડે “અમર” અહિંસાતણે જ્યોતિ જગાવું જીવદયા.
શ્રી જીવદયા મંડળીના પ્રમુખ–દયાલંકાર શેઠશ્રી લલુભાઈ દીપચંદ ઝવેરીએ “હિંદના હણાતા હીર”ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખ્યું છે કે
ભાઈ અમરચંદ માવજી શાહને હાની વયથી જ જીવદયાને લગતી સેવા કરવાનું વ્યસન છે. તે વખતે વખત મુંબઈ જીવદયા મંડળીને આશ્રયે ચાલતા અભયદાનના પ્રયાસોને પણ મદદ કરે છે. આવા યુવકે અહિંસાના કાર્યમાં સક્રિય રસ લે એ આશાજનક છે. ભાઈ અમરચંદની ભલી લાગણી અને ભલી પ્રવૃત્તિ માટે તેમને હું અભિનંદન આપું છું અને ભવિષ્યમાં તેઓ અભયદાનનાં મહાન કાર્ય કરવા સમર્થ બને એમ ઈચ્છું છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com