Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
એક મૂરજ કહઈ સવિ માનીઇ અપણ વેષભણ વાંકી; વેષ લેઇ વિષ ભથ્વણુ કરઈ કહુ તે કિમ જીવઈ કઈ મરઈ. ૧૫ એક મૂષ વલી બલઈ ઈમ આપણા ગુરૂ લોપી જઈ કિમ; આપણે બેઉ ચેરી કરઈ ઘરિ રાષઈ તુ રાઉલિ ધરઈ. ૧૬ અગનિ આપણું ઘર પરજલઈ માંહિ આવઈ તે સહુઈ લઈ; ઈમ જાણ કુગુરૂ પરિહરઉ સાચા ઊપરિ આદર કરૂ. ૧૭ નિશ્ચલ મન જી કી જઈ ધર્મ જાણી જીવદયાનુ મર્મ, દાન સીલ તપ ભાવના સાર એહ ધર્મ તારઈ સંસાર. વીતરાગ આરાહક દેવ સુગુરૂતણી નિત કી જઈ સેવ; જ્યાધર્મ જે હીયડઈ ધરઉ શ્રાવક નામ તે સાચું કરવું. ૧૯ શ્રાવકનઈ એ સમતિ સાર મુગતિતણું ઊઘાડઈ બાર; લાવણ્યસમઈ મુનિવર ઈમ કહઈ મુગતિ વધૂ તરસ લીલાં વરઈ. ૨૦
આ સિવાય કવિની એક અત્યન્ત આનંદ આપનાર કવિતા પ્રાપ્ત થઈ છે. હેનું નામ છે “ ચતુર્વિશતિજિનસ્તવન ". પ્રાચીન કવિઓની કૃતિઓમાં માલિની, હરિગીત, શાર્દૂલ કે એવા પિંગલના છંદમાં ભાષાની કવિતાઓ ઘણીજ ચેડી, બલ્ક નહિં જેવી જ પ્રાપ્ત થાય છે. વ્હારે કવિવર લાવણ્યસમયનું બનાવેલું આ સ્તવન શુદ્ધ-નિર્દોષ માલિનીબુંદમાં જ છે. આ સ્તવનની ર૭ કડીઓ માલિની છંદમાં છે, જહારે ૨૮ મી હરિગીત છે. કવિએ આ કવિતા માલિની છંદમાં બનાવીને પણ હેના અનુપ્રાસ અને ઝમકમાં પણ કંઈ ખામી રાખી નથી. વાચકોના આનંદની ખાતર હેમાંની કંઈક વાનગી અહિં આપવી ઉચિત સમજું છું. હેની પ્રારંભની કડી આ છે –
કનક તિલક ભાલે હાર હી નિહાલે,
ઋષભ પય પષાલે પાપના પંક ટાલે; અર જિનવર માલે ફૂટરે ફૂલ માલે,
નરભવ અજુઆલે રાગ નિઈ રોસ ટાલે.” ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132