SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ એક મૂરજ કહઈ સવિ માનીઇ અપણ વેષભણ વાંકી; વેષ લેઇ વિષ ભથ્વણુ કરઈ કહુ તે કિમ જીવઈ કઈ મરઈ. ૧૫ એક મૂષ વલી બલઈ ઈમ આપણા ગુરૂ લોપી જઈ કિમ; આપણે બેઉ ચેરી કરઈ ઘરિ રાષઈ તુ રાઉલિ ધરઈ. ૧૬ અગનિ આપણું ઘર પરજલઈ માંહિ આવઈ તે સહુઈ લઈ; ઈમ જાણ કુગુરૂ પરિહરઉ સાચા ઊપરિ આદર કરૂ. ૧૭ નિશ્ચલ મન જી કી જઈ ધર્મ જાણી જીવદયાનુ મર્મ, દાન સીલ તપ ભાવના સાર એહ ધર્મ તારઈ સંસાર. વીતરાગ આરાહક દેવ સુગુરૂતણી નિત કી જઈ સેવ; જ્યાધર્મ જે હીયડઈ ધરઉ શ્રાવક નામ તે સાચું કરવું. ૧૯ શ્રાવકનઈ એ સમતિ સાર મુગતિતણું ઊઘાડઈ બાર; લાવણ્યસમઈ મુનિવર ઈમ કહઈ મુગતિ વધૂ તરસ લીલાં વરઈ. ૨૦ આ સિવાય કવિની એક અત્યન્ત આનંદ આપનાર કવિતા પ્રાપ્ત થઈ છે. હેનું નામ છે “ ચતુર્વિશતિજિનસ્તવન ". પ્રાચીન કવિઓની કૃતિઓમાં માલિની, હરિગીત, શાર્દૂલ કે એવા પિંગલના છંદમાં ભાષાની કવિતાઓ ઘણીજ ચેડી, બલ્ક નહિં જેવી જ પ્રાપ્ત થાય છે. વ્હારે કવિવર લાવણ્યસમયનું બનાવેલું આ સ્તવન શુદ્ધ-નિર્દોષ માલિનીબુંદમાં જ છે. આ સ્તવનની ર૭ કડીઓ માલિની છંદમાં છે, જહારે ૨૮ મી હરિગીત છે. કવિએ આ કવિતા માલિની છંદમાં બનાવીને પણ હેના અનુપ્રાસ અને ઝમકમાં પણ કંઈ ખામી રાખી નથી. વાચકોના આનંદની ખાતર હેમાંની કંઈક વાનગી અહિં આપવી ઉચિત સમજું છું. હેની પ્રારંભની કડી આ છે – કનક તિલક ભાલે હાર હી નિહાલે, ઋષભ પય પષાલે પાપના પંક ટાલે; અર જિનવર માલે ફૂટરે ફૂલ માલે, નરભવ અજુઆલે રાગ નિઈ રોસ ટાલે.” ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy