Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 50
________________ રાજાએ કમાડ ઉઘાડીને અંદર જોયું, તે સૂરિજી મળ્યા નહિં. રાજાને ખાતરી થઈ કે–તેઓ વિદ્યાના બલથી નિકળી ગયા. રાજાએ વિચાર્યું કે-આ ગુરૂની ભક્તિ તો ન થઈ, પરંતુ ઉલટી અવજ્ઞા થઈ. ખેર. રાજાને મંત્રી બન્ને આચાર્યની પાસે આવ્યા અને પગમાં પડીને થયેલી અવજ્ઞા માટે ક્ષમાપના માગી. તે પછી રાજાએ પૂછ્યું કે-મહારાજ ! એ ફરમાવે કે હારૂં કેટલું આયુષ્ય છે ? ” આચાર્યશ્રીએ જણાવ્યું કે- “ હમારૂં છમાસનું આયુષ્ય છે. માટે ધર્મરૂપી ઔષધનું સેવન કરવું જોઈએ.’ આ પછી ત્યહાંથી સંઘ રવાના થયે, રસ્તામાં સંઘ તૃષાથી બહુ આકુળવ્યાકુલ થવા લાગ્યો. ભદ્રવ્યવહારી ખેદિત થવા લાગે કે-“અરે, મહું આ કર્યું? પાણી વિના આખે સંઘ દુ:ખી થઈ રહ્યો છે. હવે હું શું કરું? ” ગુરૂની પાસે આવી આ હકીકત નિવેદન કરી, ગુરૂએ કઈ સૂકે કૂ કે તળાવની તપાસ કરવા જણાવ્યું. સંઘપતિએ શોધ કરી આચાર્યશ્રીને જણાવ્યું. પછી આચાર્યશ્રીની વિદ્યાના બળથી તે સુકુ સરોવર પાણીથી ભરાઈ ગયું. આથી આખા સંઘને સંતોષ થયે. હાથી સંઘ આગળ વળે, પરંતુ પેલા સરેવરના કાંઠે સંઘપતિ પોતાના જેડા ભૂલી ગયા, તેથી ભદ્રવ્યવહારી બીજા માણસો સાથે હાં જેવા ગયા. તે તે સરોવરમાં પાણીનું એક બુંદ દેખ્યું નહિં, આ આશ્ચર્યથી તે સરેવરનું “સાધુસરોવર” એવું નામ પડ્યું. હવે સંઘ શત્રુંજયની યાત્રા કરીને ગિરિનાર આવ્યું. સંઘપતિએ, અહિં શ્રીનેમીશ્વરના કંઠમાં મણિ-માણેકથી જડેલાં સુવર્ણનાં આભરણ ધારણ . આઠ દિવસ સંઘ ગિરિ ઉપર રો. પછી વ્હારે તે નીચે ઉતરવા લાગ્યા, ત્યહારે ભગવાન ઉપર ચઢાવેલાં આભૂષણે દેખ્યાં નહિં. સંઘપતિએ પૂજારીઓ, ગંધ, અને સંઘના તમામ માણસોને પૂછયું, પરંતુ પતો લાગે નહિં. સંઘપતિને ઘણી ચિંતા થવા લાગી. ભગવાનનાં આભૂષણે ચેરા [ ૧૮ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132