Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 91
________________ કોઈ આવી જાય તો પણ અટકી જવાય. ગમે તે સમયે તેનું સેવન થઈ શકતું નથી. ગમે તે લોકોની વચ્ચે પણ તેનું સેવન થઈ શક્યું નથી. શરીર પણ થાકી જાય છે. પરિણામે કામસેવનાદિ પાપો મર્યાદિત બને છે. તેનું સેવન ક્ય પછી થોડા સમય માટે પણ તેની લેશ્યા શાંત તો થાય છે. જ્યારે ધનાદિની સંજ્ઞા તો ખૂબ ભયંકર છે. ગમે તેટલા રુપીયા કમાવા છતાં તે થોડા સમય માટે પણ શાંત થતી નથી. વળી આ ધન સંજ્ઞાને દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવની કોઈ મર્યાદા પણ નડતી નથી. માટે કામપુરુષાર્થ કરતાં ય અર્થ (ધન) પુરુષાર્થને વધારે ખરાબ જણાવ્યો છે. ધનની લેશ્યાને રૌદ્રધ્યાન રુપ ગણાવી છે. નરકગતિનું રીઝર્વેશન કરાવનાર મનાઈ છે. આજે તો ઘરડો થવા છતાંય માનવ ધનની લેગ્યામાંથી છૂટી ન શક્તો હોય તેવું જણાય છે. દુકાન, ઓફીસ છોડવા તૈયાર થતો નથી. રૌદ્રધ્યાનનું ચોથું લક્ષણ આ જ છે ને? જીવનપર્યંત હિંસા - જૂઠ-ચોરી કે પરિગ્રહસંજ્ઞામાંથી મુક્ત ન થવું તે રૌદ્રધ્યાનને જણાવે છે. આ જાણ્યા પછી હવે નથી લાગતું કે ધનની લેગ્યા છોડી દેવી જોઈએ. જરુર પૂરતું કમાઈને સંતોષથી રહેવું જોઈએ. પૈસા પાછળ હાયવોય કરવાનું બંધ કરી દેવું જોઈએ. - ૪૮ મિનિટથી પણ ઓછું આયુષ્ય ધરાવનારો તંદુલીયો મત્સ્ય મરીને ૭મી નરકમાં ઉત્પન્ન થાય છે, તેમાં રૌદ્રધ્યાન સિવાય અન્ય શું કારણ છે? ચોખાના દાણા જેટલું શરીર ધરાવનારો અને માત્ર પૂરી ૪૮ મિનિટ પણ નહિ જીવનારો તંદુલીયો મત્સ્ય પાપો કરી - કરીને કેટલા અને કેવા કરી શકે? તે પાપો શું તેને ૭મી નરકમાં મોકલી શકે ખરા? નથી તે તેવા ભયાનક હિંસાદિ પાપો કરતો કે નથી તે તેવા શબ્દોનો પ્રયોગ કરતો. છતાં ય સાતમી નરકમાં જાય છે, તેમાં તીવ્ર કક્ષાનું રૌદ્રધ્યાન કારણ છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં થતાં મોટા મગરમચ્છોની આંખોની પાંપણમાં ચોખાની સાઈઝનો આ તંદુલીયો મત્સ્ય રહે છે. મોઢું ફાડીને બેઠેલાં આ મગરમચ્છના મોઢામાં પ્રવેશતાં પાણીના પ્રવાહોમાં ઘણાં માછલા વગેરે જળચર જીવો પ્રવેશે છે અને પાછા બહાર નીકળતાં પાણી સાથે તે જીવો પણ બહાર નીકળી જાય છે. મગરમચ્છને જ્યારે ભુખ લાગી હોય ત્યારે તે મોઢું બંધ કરીને પ્રવેશેલા જીવોને ખાય. પણ પેટભરાઈ ગયા પછી તો અંદર પ્રવેશેલા જીવોને ખાવાના બદલે તે બહાર જવા દે. તે વખતે પાંપણમાં રહેલો તંદુલીયો મત્સ્ય વિચારે છે કે, “આ મગરમચ્છ તો મહામૂરખ છે. તેના મોંમાં સામે ચાલીને આટલા બધા જીવો આવે છે, તો પણ તે બધાને આ ૮૮ કે વ્રત ધરીયે ગુરુ સાબ-ભાગ-૨ )

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118