Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 94
________________ (૧૧) વાતોએ વિવેક વિસરાય (૨) પાપકર્મોનો ઉપદેશઃ પોતે પાપ કરવાના નથી તેમ બીજાને પાપ કરવાનો ઉપદેશ પણ આપવાનો નથી. કદાચ જરૂરી કાર્ય હોય તેથી કાંઈ કરવું પડે તે જુદી વાત. પણ જેમાં પોતાને કાંઈ મેળવવાનું નથી, છતાં ઉપદેશ અપાય તે તો અનર્થદંડ જ ગણાય ને! ખેતર ખેડો, હળને જોડો, કુવો ખોદો, બળદ જોડો, શત્રુઓને મારો, તમારી કન્યાને પરણાવો, ભોજન રાંધો, કેમ ! હજુ કપડા નથી ધોવા? વગેરે જે વગર ફોગટનું બોલાય છે, તે બધું અનર્થદંડ છે. નવરા બેઠાં એટલે જાત જાતના ઉપદેશ આપવાનું મન થઈ જાય છે. બિનજરૂરી શિખામણો ઢગલાબંધ અપાય છે. આ બધું બરોબર નથી. આપણો ઉપદેશ કે સૂચન સાંભળીને સામેવાળો તેનો અમલ કરે તો કેટલા બધા હિંસાદિ પાપો થાય? ઋષભદેવ ભગવાનની વાત આપણે ક્યાં નથી જાણતા ? પૂર્વના કોઈ ભવમાં તેમણે પણ એક ખેડૂતને વગર નકામી સલાહ આપી હતી, તેનું ભયંકર પરિણામ આવેલ. * બળદો ખળામાં માં નાંખીને વારંવાર ખાતા હતા. તે જોઈને તેમને સલાહ આપવાનું મન થઈ ગયું. કોઈએ તેમને પૂછવું નહોતું. બળદ ખાઈ જાય તેમાં પોતાને કોઈ નુકસાન પણ નહોતું; પણ સલાહ આપ્યા વિના તેઓ રહી ન શક્યા. તેમણે કહ્યું, “બળદીયાના મોઢે સીકું બાંધી દો. પછી તેઓ ખાઈ નહિ શકે. તમારું કામ બરોબર થશે અને તમને નુકસાન કાંઈ નહિ થાય.” પેલા ખેડૂતે તેમની સલાહ સ્વીકારી. બળદીયાના મોઢે સીકું બંધાયું. બળદીયાએ ૪૦૦ નિસાસા નાખ્યા. પાપકર્મોના ઉપદેશ રૂપ આ બીજા પ્રકારનો અનર્થદંડ તેમના વડે સેવાયો. તે વખતે તેમણે એવું ચીકણું કર્મ બાંધ્યું કે જે છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યું. દીક્ષા લીધી છતાં તે કમેં તેમને ન છોડ્યા. લગાતાર ચારસો દિવસ સુધી તેમને ઉપવાસ કરવા પડ્યા. ફાગણ વદ - આઠમે તેમણે દીક્ષા લીધી. તે પહેલાં તેઓ રાજા હતા. પ્રજાજનોને તેમના પ્રત્યે અતિશય માન હતું. તેથી દીક્ષા પછી લોકો તેમની સામે હીરા - માણેક - મોતી – રત્નોના થાળ ધરે છે ! અરે ! પોતાની દીકરીઓ સોંપવા તૈયાર થાય છે, પણ કોઈને કલ્પના ય નથી આવતી કે ભગવાનને ભોજનની જરુર છે. લાવો, આપણે જ ૯૧ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118