Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ દેવદેવતા, ઋષિમુનિ અને રાજા-મહારાજાઓના નામે ઉપજાવી કાઢેલી દંતકથાઓનો એ શંભુમેળો છે. જે વસ્તુ સામાન્ય સમજમાં ન આવે તેને હજારે સમજુ માણસો કેવી રીતે સાંભળી રહેતા હોય છે એ જ તેમને સમજાતું નથી હોતું. 'મિથ'ને, પુરાણકથાને તેઓ માત્ર શાબ્દિક અર્થમાં જ લેતા હોય છે અથવા તો રૂપક ગણી કાઢતા હોય છે. પણ દતકથારૂપે રજૂ કરવામાં આવતી આ કથાવસ્તુ ચેતનાના અમુક સ્તરે નક્કર હકીકત હોય છે, એ બાબત એ ભૂમિકાઓના અનુભવ વિના જાણી શકાતી નથી.” (“ભાગવતી સાધના” ૫.૨)-મકરંદ દવે જેઓ સુજ્ઞ અને મર્મજ્ઞ છે, તેઓ ઉપર્યુક્ત અવતરણમાં થયેલી ટકોરને મર્મ પામી શકશે, અને બુદ્ધિવાદે કેટલું નુકસાન કર્યું છે ને કર્યો જાય છે તે પણ સમજી શકશે. બુદ્ધિવાદ અને બુદ્ધિનિષ્ઠા એ બંને અલાયદાં તરે છે, એ હવે આપણે સવેળા સમજી લેવું ઘટે. બુદ્ધિવાદમાં તક જડતા અને તેથી પેદા થયેલી આસ્થાહીનતાનું પ્રમાણ વિશેષ હોય છે અને તેથી જ ત્યાં વૈજ્ઞાનિકતાનો છેદ ઊડી જતો હોય છે. એથી ઊલટું, બુદ્ધિનિકાનો આસ્થા અને વૈજ્ઞાનિકતા સાથે વધુમાં વધુ નિકટનો નાતો છે. બુદ્ધિવાદ અસારમાં સાર જોવાની કોશીશ કરશે અને સારા સમૂળો ત્યાગ કરવા પ્રેરશે. જ્યારે બુદ્ધિનિષ્ઠા એ અસારની અસારતા તરફ ધ્યાન દોરશે, એને ત્યજતાં શીખવશે, અને સાર પ્રતિ આસ્થા/આશા જન્માવી એનો આદર કરવા પ્રેરશે, અને આજ છે સાચી વૈજ્ઞાનિકતાની બુનિયાદ. બુદ્ધિનિષ્ઠા અને આસ્થાનો સહગ જીવનમાં સહજભાવે વૈજ્ઞાનિકતા પ્રગટાવે છે અને ટકાવે પણ છે. આ બુદ્ધિનિષ્ઠા, આ આસ્થા અને આ વૈજ્ઞાનિકતા આપણામાં જન્મ અને વિકસે અને રિથર થાય, અને તર્ક જડ બુદ્ધિવાદ આપણામાંથી નામશેષ બને – એ માટેનું શ્રેષ્ઠતમ સાધન છે : સદ્વાંચન. જે સાહિત્ય માત્ર મનોરંજન ખાતર કે બૌદ્ધિક કસરતને ખાતર નથી નિયું; પણ જેના સર્જન પાછળ, પ્રત્યુપકારની લેશ પણ અપેક્ષા વિનાની લોકકલ્યાણની જ માત્ર ગણતરી છે; લેકજીવન ઉદાત્ત સંસ્કાર અને નૌતિકતા તથા ધાર્મિકતાના નિર્ભેળ ઓપ થકી સુવાસિત અને દીપ્તિમાન બને એ જ જે સર્જનનો એકમાત્ર આશય છે, તેવું કોઈપણ સાહિત્ય વાંચવું તે છે સદ્વાંચન. પ્રસ્તુત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર' તે આવું જ સત્સાહિત્ય છે. “કલિકાલસર્વજ્ઞ બિરૂદ ધરાવતા અને ગૂર્જરી ગિરાની આદ્ય ગંગોત્રી સમા જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે પિતાની નિર્ચાજ લેકહિતની વૃત્તિનો આવિષ્કાર આ ગ્રંથનિર્માણરૂપે કર્યો છે, એમ કહી શકાય. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર એટલે જૈન ધર્મ સંસ્કૃતિને સંપૂર્ણ ઈતિહાસ. જેન ધર્મનો પરંપરાને સ્વીકાર્ય ૬૩ ઈતિહાસ પુરુષોનાં સમગ્ર જીવનનું અધિકૃત વર્ણન આ ગ્રંથમાં શ્રી હેમચંદ્રાચાર્યું કર્યું છે. Mythology ના સંશોધકો આ ગ્રંથને પુરાણગ્રંથ તરીકે ઓળખાવે છે, અને એમાં વર્ણવાયેલા મોટા ભાગનાં જીવનચરિત્રોને તથા તે ચરિત્રોના નાયકને કાલ્પનિક માને છે; ઐતિહાસિક હોવાનું નથી સ્વીકારતા. ચાવક દર્શનને તર્ક જડ બુદ્ધિવાદ એમને આવું માનવા પ્રેરતો હોય એવું બને. પણ બુદ્ધિનિષ્ઠાના એપ ઓપતી આસ્થા જેને મળી છે તેવી દષ્ટિ તો, આ સમગ્ર ચરિત્રકથાઓ અને તેના નાયકેની જીવંતતાને અને અસ્તિતાને કશાય આયાસ કે કષ્ટ વિના, સહજપણે જ, પિતાની સામે નિહાળી શકે છે-અનુભવી શકે છે-માણી શકે છે. પારદર્શી કાચ જેવી આ નરવી દૃષ્ટિ, દેશકાળની અપેક્ષાએ લાખો-કરોડો-અબજો વર્ષો પૂર્વે થયેલા મહાનુભાવોને અને ઘટી ગયેલી ઘટનાઓને પણ, દેશકાળનાં એ પડળને, પેલી નિર્મળ આસ્થાની સહાયથી, ભેદી શકે છે, અને એ મહાનુભાવોને તથા એ ઘટનાઓને, પિતાની ચેતનાના કે” અણદીઠ સ્તરે સાક્ષાત અનુભવી લે છે, અને આ અનુભૂતિ તે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 472