Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 150
________________ ૧૩૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનટાળ-૧૬/ગાચા-૧ [ ટાળી સોળમી (રાગ: સફલ સંસાર અવતાર એ હું ગણું – એ દેશી) પૂર્વ યળ સાથે સંબંધ : પૂર્વ ઢાળમાં સુસાધુ કેવા હોય તથા સંવિજ્ઞપાક્ષિક કેવા હોય તેનું સ્વરૂપ બતાવ્યું. તે બન્ને મહાત્મા આત્માના શુદ્ધ પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાના અર્થી છે. તેથી હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : સ્વામી સીમંધરા ! તું ભલે ધ્યાઈએ, આપણો આતમા જિમ પ્રગટ પાઈયે; દ્રવ્યગુણપજવા તુઝ યથા નિર્મલા, તિમ મુઝ શક્તિથી જઈવિ, ભવ સામલા. ૧ ગાથાર્થ - હે સીમંધરસ્વામી ! તમે સારી રીતે ધ્યાન કરાઈએ, જેનાથી આપણો આત્મા પ્રગટ પ્રાપ્ત કરીએ, તમારા દ્રવ્ય-ગુણ-પર્યાય જે પ્રમાણે નિર્મળ છે, તેમ મારા શક્તિથી જ નિર્મળ છે જોકે ભવથી શામળા છે. [૧ ભાવાર્થ : ગ્રંથકારશ્રી સીમંધરસ્વામી ભગવાનને વિનંતી કરે છે કે “અમે તમારું સુંદર ધ્યાન કરીએ જેથી આપણો આત્મા પ્રગટરૂપે ભગવાન જેવો પ્રાપ્ત થાય” આ કથન દ્વારા ગ્રંથકારશ્રી બતાવવા માંગે છે કે ભગવાનની સિદ્ધ અવસ્થાને સામે રાખીને ભગવાનનું ધ્યાન કરવાથી આપણે પણ સિદ્ધ અવસ્થાને પામીએ છીએ. જો કે સીમંધરસ્વામી વીતરાગ સર્વજ્ઞ છે અને સિદ્ધ અવસ્થાને પામ્યા નથી તોપણ સિદ્ધ અવસ્થાને પામવાની તૈયારીમાં છે. તેથી જે કરાતું હોય તે કરાયું કહેવાય એ ન્યાયથી ભગવાન સર્વકર્મથી રહિત શુદ્ધ અવસ્થાવાળા છે અને તે સ્વરૂપે તેમનું ધ્યાન કરવાથી આપણે પણ તે સ્વરૂપને પ્રગટ પામીએ તેમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196