Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 192
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૭/ગાથા-૮, ૯-૧૦ ભાવાર્થ : ગ્રંથકારશ્રી પોતાના સીર્યને ઉલ્લસિત કરવા કહે છે કે અમે જ્ઞાનયોગમાં તૃપ્તિને ધારણ કરીએ. અર્થાત્ માત્ર બાહ્ય ક્રિયાઓથી સંતોષ માનવો નહીં, પરંતુ બાહ્ય ક્રિયાઓ દ્વારા અંતરંગ વીતરાગભાવને અનુકૂળ એવો જ્ઞાનયોગ સ્ફૂરાયમાન થાય તેમાં તૃપ્તિને ધારણ કરીએ. વળી, તેના ઉપાયભૂત ક્રિયા કરવામાં લાજ રાખીએ નહિ અર્થાત્ “આ ઘેલા ધર્મી છે” તેવું લોકમાં લાગશે એ પ્રકારની લજ્જાથી ઉચિત ક્રિયાને છોડીએ નહિ અને એક ભગવાનના વચનના રાગમાં મહા ઉદ્યમ કરવા રૂપે સદા ગાજીએ. વળી, ભગવાનને કહે છે કે જો સકલ સુખના હેતુ એવા તમે મારા ચિત્તમાં જાગતા રહો તો તમારા થકી મારામાં અધિક શક્તિનો ઉલ્લાસ થશે અર્થાત્ તમારા વચનાનુસાર ચાલવાની મારી શક્તિ અધિક ઉલ્લસિત થશે. Ill અવતરણિકા : આ રીતે ભગવાનને વિનંતી કરીને હવે ગ્રંથકારશ્રી તપાગચ્છતા આચાર્યોની પાટ પરંપરા બતાવે છે - — ગાથા : વડતપાગચ્છનંદનવને સુરતરુ, હીરવિજયો જયો સૂરિરાયા; તાસ પાટે વિજયસેનસૂરિસરુ, નિત નમે નરપતિ જાસ પાયા. આજ. ૯ તાસ પાટે વિજયદેવસૂરિસરુ, પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી; જાસ હિતસીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટલી કુમતિચોરી. આજ. ૧૦ ગાથાર્થ ઃ ૧૭૯ વડતપાગચ્છરૂપ નંદનવનમાં સુરતર જેવા=કલ્પવૃક્ષ જેવા હીરવિજયસૂરિરાજા જયવંતા વર્તે છે, તેમની પાટે વિજયસેનસૂરીશ્વર થયા, જેમના ચરણે રાજાઓ નિત્ય નમતા હતા. IIIા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196