Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 193
________________ ૧૮૦ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૭/ગાથા-૯-૧૦, ૧૧-૧૨ તેમની પાટે વિજયદેવસૂરીશ્વર થયા, તેમની પાટે ગુરુ વિજયસિંહ ધોરી થયા, જેમની હિતશિખથી ગ્રંથકારશ્રીએ એ માર્ગ અનુસર્યો ગ્રંથકારશ્રીએ સંયમનો માર્ગ અનુસર્યો. જેથી કુમતિની સવિ ચોરી ળી કુમતિઓ ભગવાનના શાસનના પદાર્થો વિપરિત રીતે કરીને સન્માર્ગની ચોરી કરતા હતા તે ચોરી ગ્રંથકારશ્રીની યથાર્થ શાસ્ત્રરચનાને કારણે ટળી. II૧૦I. અવતરણિકા : શ્રી હીરવિજયસૂરીશ્વરજીથી થયેલ આચાર્યોની પરંપરા બતાવ્યા પછી શ્રીહીરવિજયસૂરીશ્વરજીના કયા શિષ્યની પરંપરામાં ગ્રંથકારશ્રી થયા છે, તે પાટ પરંપરા બતાવે છે – ગાથા : હીરગુરુ શીસ અવતંસ મોટો હુઓ, વાચકાં રાજ કલ્યાણવિજયો; હેમગુરુ સમ વડે શબ્દઅનુશાસને, શીસ તસ વિબુધવર લાભવિજયો. આજ. ૧૧ ગાથાર્થ – શ્રીહરિગુરુના શિષ્ય સમુદાયમાં અવતંસ મુગટ સમાન અને વાયકાં રાજ કલ્યાણવિજયો મોટો હુઓ ઉપાધ્યાયોમાં રાજા જેવા શ્રીકલ્યાણવિજયજી ઉપાધ્યાય મોટા થયા, જેઓ શબ્દઅનુશાસનમાં હેમગુરુ સમાન હતા, તેમના શિષ્ય શ્રીલાભવિજયજી વિબુધવર હતા પંડિત શિરોમણિ હતા. I/પા. ગાથા : શીસ તસ જીતવિજયો જયો વિબુધવર, નયવિજય વિબુધ તસ સુગુરુભાયા રહિએ કાશીમઠ જેહથી મેં ભલે, ન્યાયદર્શન વિપુલ ભાવ પાયા. આજ. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196