Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 190
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૭|ગાથા-૬-૭ ૧૭૭ કરેલો માર્ગ સર્વ કલ્યાણનું કારણ છે માટે એક તમારી આજ્ઞા જ હું શિર ઉપર ધારણ કરું છું અર્થાત્ ભગવાનની આજ્ઞા છે કે “શક્તિના પ્રકર્ષથી તત્ત્વને યથાર્થ રીતે જાણવા ઉદ્યમ કરવો જોઈએ, જાણીને સ્થિર કરવા ઉદ્યમ કરવો જોઈએ અને યથાર્થ બોધ સ્થિર થયા પછી તે બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ ક૨ીને તે તત્ત્વથી આત્માને અત્યંત ભાવિત કરવો જોઈએ. વળી, તેમાં લેશ પણ પ્રમાદ ન કરવો જોઈએ’ એ પ્રમાણેની એક આપની આણ હું મસ્તકે ધારણ કરું છું અને બીજા કોઈ દર્શનકારોની વાણીને હું કાને ધરતો નથી; કેમ કે એ કલ્યાણનું કારણ નથી. વળી, સર્વ દર્શનોમાં મોક્ષને અનુકૂળ એવો જે યોગમાર્ગ વિદ્યમાન છે તેનું મૂળ આપનું શાસન છે; કેમ કે ભગવાનના શાસનમાં વર્તતા નયવાદમાંથી જ કોઈક નયને ગ્રહણ કરીને તે તે દર્શન પ્રવૃત્ત થયું છે અને તેતે દર્શનમાં યોગમાર્ગની જે યથાર્થ પ્રરૂપણા છે તેનું મૂળ ભગવાનનું વચન છે. તેથી સુવિવેકપૂર્વક એક એવા ભગવાનની વાણીની સ્તુતિ કરીએ; કેમ કે બધા દર્શનોમાં જે કંઈ અંશથી તત્ત્વની પ્રાપ્તિ છે તેનુ મૂળ ભગવાનનું શાસન છે માટે સર્વ નયથી વિશુદ્ધ એવા ભગવાનના શાસનની સ્તુતિ કરીએ. IIઙા ગાથા : તુઝ વચનરાગ સુખસાગર હું ગણું, સકલસુરમનુજસુખ એક બિંદુ; સાર કરજો સદા દેવ ! સેવક તણી, તેં સુમતિકમલિનીવનદિહિંદુ. આજ. ૭ ગાથાર્થ ઃ ગ્રંથકારશ્રી ભગવાનને કહે છે આપના વચનના રાગરૂપ સુખના સાગર આગળ હું, સર્વ સુર, મનુષ્યોના સુખને એક બિંદુ સમાન ગણું. સુમતિરૂપી કમલિનીના વન માટે સૂર્ય જેવા આપ સેવક તણી સદા સાર કરજો=ચિંતા કરજો. IIII Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196