Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 189
________________ ૧૭૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૭/ગાથા-૫-૬ એવો, આ તમારો દાસ=લોકસંજ્ઞાથી વેગળો આ તમારો દાસ, તે સર્વને ઉવેખે છે=લોકસંજ્ઞાથી ધર્મની પ્રવૃત્તિ કરનારા જીવોની ઉપેક્ષા કરે છે, અને જેઓ એક તમારી આજ્ઞામાં રાતા રહે છે તેવા જીવોને એહ=આ તમારો દાસ, નિજ મિત્ર દેખે=પોતાનો મિત્ર ગણે છે. II૫II ભાવાર્થ : ગ્રંથકારશ્રી ભગવાનની આજ્ઞા પ્રત્યેનો પોતાનો રાગ અભિવ્યક્ત કરતાં કહે છે, લોકસંજ્ઞાથી લોકો બહુ ઘેલા છે અને લોકસંજ્ઞાથી વેગળો અને તમારા પ્રત્યે રાગવાળો એવો તમારો આ દાસ તે સર્વની ઉપેક્ષા કરે છે અર્થાત્ લોકસંજ્ઞાથી જીવનારા સાધુઓ સાથે આત્મીયતા કેળવીને તેઓની વચમાં પોતે સારો દેખાય તેવી પ્રવૃત્તિ કરતો નથી, પરંતુ તેઓની ઉપેક્ષા કરે છે અને જે સાધુઓ તમારી આજ્ઞામાં રત છે તેવા સાધુઓને આ તમારો દાસ મિત્ર તરીકે જુએ છે. તેથી જે સાધુઓ ભગવાનની આજ્ઞામાં રત છે તેવા સાધુ સાથે પરિચય કરીને ગ્રંથકારશ્રી વિશેષ તત્ત્વ પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે. પા 511211 : આણ જિનભાણ ! તુઝ એક હું શિર ધરું, અવરની વાણી નવિ કાને સુણિએ; સર્વદર્શન તણું મૂલ તુઝ શાસન, તેણે તે એક સુવિવેક થુણિએ. આજ. ૬ ગાથાર્થ: : ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરતાં કહે છે કે હે જિનભાણ=જિનરૂપી સૂર્ય, હું તમારી એક આજ્ઞાને મસ્તકે ધારણ કરુ છું, બીજા કોઈની વાણી હું કાનથી સાંભળતો નથી. સર્વદર્શનનું મૂળ તારુ શાસન છે, તેથી સુવિવેકથી એક એવી તેની સ્તુતિ કરીએ. II9TI ભાવાર્થ : જેમ સૂર્ય જગતમાં પ્રકાશને વિસ્તારે છે તેમ જિનરૂપી સૂર્ય તત્ત્વમાર્ગને વિસ્તારનાર છે. તેથી ગ્રંથકારશ્રી જિનરૂપી સૂર્યને સંબોધીને કહે છે તમે વિસ્તાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196