Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 169
________________ ૧પ૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૩ ગાથા : જેહ વ્યવહારસેઢી પ્રથમ છાંડતાં, એક એ આદરે આપમત માંડતાં; તાસ ઊતાવલે નવિ ટલે આપદા, ક્ષધિત ઈચ્છામેં ઉંબર ન પાચે કદા. ૧૩ ગાથાર્થ : જેઓ પ્રથમ વ્યવહારની સેઢીને છોડે છે જે મોક્ષના અર્થી સાધકો વ્યવહારનયને અભિમત ઉચિત આચરણાને પ્રથમ સેવવાનું છોડે છે. આપમતે માંડતા સ્વમતિ પ્રમાણે પ્રયત્ન કરતા, એક એ આદરેકએક શુદ્ધનયને આદરે છે. તાસ ઉતાવળે તેઓની ઉતાવળથી, આપદા, ળે નહિ=સંસારના ભાવોના સર્જનને અનુકૂળ એવા મોહના ભાવોની નિષ્પત્તિ ળે નહિ, ક્ષધિત પુરુષની ઈચ્છાથી ક્યારેય ઉંબર પાકે નહિ. II૧૩. ભાવાર્થ : જેઓ શુદ્ધનયના સ્વરૂપને સાંભળીને શુદ્ધનયથી આત્માને ભાવિત કરવા માટે અત્યંત અર્થી થયા છે, આમ છતાં માર્ગાનુસારી પ્રજ્ઞા નહિ હોવાથી શાસ્ત્રાનુસારી મર્યાદા પ્રમાણે ચાલવાની પ્રવૃત્તિ છોડીને પ્રથમ ભૂમિકામાં વ્યવહારનયની આચરણાને છોડે છે અને વિચારે છે કે આત્માના શુદ્ધ સ્વરૂપના ધ્યાનથી જ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી શકાય છે માટે મોક્ષના અર્થીએ શુદ્ધનામાં જ ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રમાણે આપમતથી સ્વમતિથી, એક શુદ્ધનયને આદરે છે તેઓની તે પ્રવૃત્તિ અનુચિત્ત છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે તેઓની ઉતાવળથી સંસારના પરિભ્રમણની આપત્તિ ટળે નહિ. જેમ કોઈને સુધા લાગેલ હોય અને તે ઇચ્છા કરે એટલા માત્રથી ઉબર ફળ ક્યારેય પાકે નહિ પરંતુ ઉંબર ફળને પકાવવા માટે ઘાસાદિમાં પાક કરવાની ક્રિયા કરવી પડે. તેમ અનાદિથી મોહથી વાસિત આત્મા દેહના અને ઇન્દ્રિયના ભાવો કે નિરર્થક બાહ્ય ભાવો કરવા માટે પ્રવૃત્ત છે અને તે ભાવો આત્માએ અત્યંત સ્થિર કરેલા છે. તેથી જ ઉચિત આવશ્યકાદિ ક્રિયાઓમાં પણ તેનું ચિત્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196