Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 180
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬ ગાથા-૨૩-૨૪ ૧૦૭ રીતે પડ્યું તેની સ્પષ્ટતા અત્યારસુધી કરી. હવે એ તપાગચ્છમાં શાસ્ત્રાનુસારી વ્યવહાર ઉપલબ્ધ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : એહ ષટુ નામ ગુણઠામ તપગચ્છ તણા, શુદ્ધસદ્દહણ ગુણરયણ એહમાં ઘણા; એહ અનુગત પરંપર ભણી સેવતા, જ્ઞાનયોગી વિબુધ પ્રગટ જગદેવતા. ૨૩ ગાથાર્થ - એ છ નામ ગુણના સ્થાન તાગણ તણા છે તપાગચ્છના છે, એહમાંeતપાગચ્છમાં, શુદ્ધસહણ ઘણાં ગુણરયણ ભગવાનના વચનાનુસાર શુદ્ધશ્રદ્ધારૂપ ઘણા ગુણરત્નો છે, એનાથી અનુગત પરંપરા ભણી સેવતા તપાગચ્છને અનુગત એવા ગુણવાન સાધુની સેવા કરતા, જ્ઞાનયોગી વિબુધ બને છે, જે જગતમાં પ્રગટ દેવતા જેવા છે. રિફા ભાવાર્થ : પૂર્વમાં વીરપ્રભુની પાટ પરંપરાના જે નામો બતાવ્યાં, તે છે નામો ગુણનાં સ્થાનરૂપ તપાગચ્છના છે અર્થાત્ વર્તમાનમાં જે તપાગચ્છ છે તે પ્રથમ નિગ્રંથગચ્છ' નામથી પ્રસિદ્ધ હતો અને ક્રમસર “તપાગચ્છ”એ પ્રમાણે છછું નામ પડ્યું. તે તપાગચ્છમાં વીર ભગવાનના માર્ગની શુદ્ધ શ્રદ્ધા વર્તે છે, તેથી તપાગચ્છમાં ઘણા ગુણ રત્નો છે. માટે જે સાધુ તપાગચ્છને અનુકૂળ પરંપરાને સેવે તો તપાગચ્છની પરંપરામાં પ્રાપ્ત શાસ્ત્રોને ભણીને શાસ્ત્રાનુસારી ક્રિયા કરનારાં થાય અને તેનાથી જ્ઞાનયોગી વિબુધ બને જે જગત માટે પ્રગટ દેવતા જેવા છે. ll૧૩ અવતરણિકા - ગાથા-૧૪માં કહેલ છે કે જેઓ શુદ્ધ વ્યવહાર સેવે છે તેમાં શુદ્ધતયની ભાવના ચલાયમાન થતી નથી અને જેઓ શુદ્ધ વ્યવહારનું પાલન કરે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196