Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 184
________________ ૧૭૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૨પ ભાવાર્થ : પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે શાસ્ત્રોથી શુદ્ધનયને સરળ ભાવે જાણીને ગ્રંથકારશ્રી કહે છે કે હે પ્રભુ ! શાસ્ત્રમાં કહેલા તમારા વચનને મનમાં લાવતા હું સુયશને પ્રાપ્ત કરું અર્થાત્ ભગવાનના વચનને મનમાં લાવીને તમારા વચનાનુસાર શુદ્ધનયને લક્ષ્ય કરીને શુદ્ધ ક્રિયાના સેવનપૂર્વક મોક્ષમાર્ગની આરાધનાને હું પ્રાપ્ત કરું. વળી, ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વના સુવિહિત સૂરિઓના ગ્રંથોથી આ શુદ્ધનયના અને વ્યવહારનયના સારને મેં પ્રાપ્ત કર્યો છે, તેના સેવનથી સંસારસમુદ્રને તારનારી એવી તમારી કૃપા મને પ્રાપ્ત થજો અર્થાત્ વીતરાગનું વચન વીતરાગભાવને અનુકૂળ મહા ઉદ્યમ કરાવવા માટે સમર્થ બને તેવી તમારી કૃપા મને પ્રાપ્ત થજો. રપા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196