SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનટાળ-૧૬/ગાચા-૧ [ ટાળી સોળમી (રાગ: સફલ સંસાર અવતાર એ હું ગણું – એ દેશી) પૂર્વ યળ સાથે સંબંધ : પૂર્વ ઢાળમાં સુસાધુ કેવા હોય તથા સંવિજ્ઞપાક્ષિક કેવા હોય તેનું સ્વરૂપ બતાવ્યું. તે બન્ને મહાત્મા આત્માના શુદ્ધ પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાના અર્થી છે. તેથી હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : સ્વામી સીમંધરા ! તું ભલે ધ્યાઈએ, આપણો આતમા જિમ પ્રગટ પાઈયે; દ્રવ્યગુણપજવા તુઝ યથા નિર્મલા, તિમ મુઝ શક્તિથી જઈવિ, ભવ સામલા. ૧ ગાથાર્થ - હે સીમંધરસ્વામી ! તમે સારી રીતે ધ્યાન કરાઈએ, જેનાથી આપણો આત્મા પ્રગટ પ્રાપ્ત કરીએ, તમારા દ્રવ્ય-ગુણ-પર્યાય જે પ્રમાણે નિર્મળ છે, તેમ મારા શક્તિથી જ નિર્મળ છે જોકે ભવથી શામળા છે. [૧ ભાવાર્થ : ગ્રંથકારશ્રી સીમંધરસ્વામી ભગવાનને વિનંતી કરે છે કે “અમે તમારું સુંદર ધ્યાન કરીએ જેથી આપણો આત્મા પ્રગટરૂપે ભગવાન જેવો પ્રાપ્ત થાય” આ કથન દ્વારા ગ્રંથકારશ્રી બતાવવા માંગે છે કે ભગવાનની સિદ્ધ અવસ્થાને સામે રાખીને ભગવાનનું ધ્યાન કરવાથી આપણે પણ સિદ્ધ અવસ્થાને પામીએ છીએ. જો કે સીમંધરસ્વામી વીતરાગ સર્વજ્ઞ છે અને સિદ્ધ અવસ્થાને પામ્યા નથી તોપણ સિદ્ધ અવસ્થાને પામવાની તૈયારીમાં છે. તેથી જે કરાતું હોય તે કરાયું કહેવાય એ ન્યાયથી ભગવાન સર્વકર્મથી રહિત શુદ્ધ અવસ્થાવાળા છે અને તે સ્વરૂપે તેમનું ધ્યાન કરવાથી આપણે પણ તે સ્વરૂપને પ્રગટ પામીએ તેમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy