________________
૧૩૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૨૪
ભાવાર્થ :
સંવિજ્ઞપાક્ષિક સાધુ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા, છે અને ભગવાનના વચનાનુસાર ક્રિયા કરીને સંસારનો અંત કરવાના અત્યંત અર્થી છે . આમ છતાં અનાદિના મોહના સંસ્કારો અતિ છે અને શાસ્ત્રાનુસારી ક્રિયાના પ્રતિબંધક કર્મો બળવાન છે, તેથી તે મહાત્મા શાસ્ત્રાનુસારી ક્રિયા કઈ રીતે કલ્યાણનું કારણ છે તેના મર્મને જાણતા હોવા છતાં શાસ્ત્રાનુસારી ક્રિયા કરી શકતા નથી, તોપણ અભ્યાસિક ભાવરૂપે જે કંઈ શાસ્ત્રાનુસારી ક્રિયા કરી શકે છે તે ક્રિયાલવ પણ સ્થિરાદિક દ્રષ્ટિ સાથે જોડાયેલો છે તેથી હે સીમંધરસ્વામી સ્થિરાદિક દષ્ટિને પામેલા એવા તે મહાત્માઓ તમારા પ્રત્યેના રાગવાળા છે અને તેના કારણે જિનવચનાનુસાર જે કંઈ પણ અલ્પ ક્રિયા કરે છે તેનાથી સુયશને પ્રાપ્ત કરે છે અર્થાત્ સદ્ગતિની પરંપરા દ્વારા કલ્યાણને પ્રાપ્ત કરે છે. I૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org