________________
૧૩૫
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૨૩-૨૪ ભાવાર્થ :
આત્માની પરિણતિ અસંગ પરિણતિ છે અને અસંગ પરિણતિના ઉપાયરૂપે બાહ્ય સંયમની ક્રિયાઓ છે, પરંતુ જે સાધુને સૂક્ષ્મ બોધ નથી તે સાધુ માત્ર સંયમની બાહ્ય આચરણા કે સ્વાધ્યાયાદિની બાહ્ય ક્રિયા આત્માની ક્રિયા છે તેમ માને છે. વસ્તુતઃ આ બાહ્ય ક્રિયાઓ નિશ્ચયનયને અભિમત અંતરંગ પરિણામની નિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ છે. તેનો પરમાર્થ નહિ જાણનારા સાધુ પ૨પરિણતિરૂપ બાહ્ય ક્રિયાઓ આત્માની ક્રિયા છે તેમ માને છે અને તેમાં જ રક્ત રહે છે. તેથી સદા આર્તધ્યાનમાં વર્તે છે. પરંતુ ભગવાનના વચનથી ભાવિત થઈને શુભધ્યાનમાં વર્તતા નથી. વળી, બંધના કારણોરૂપ અને મોક્ષના કારણોરૂપ આત્માના ભાવોના મર્મને નહિ જાણનારા હોવાથી સંયમની બાહ્ય ક્રિયા કરીને પણ કર્મબંધના ફળને પામનારા છે એવા સાધુ બંધ-મોક્ષના કારણો નહિ જાણનારા હોવાથી મિથ્યાત્વરૂપ પહેલા ગુણસ્થાનકે છે. ૨૩ અવતરણિકા :
ગાથા-૧૮થી ૨૩ સુધી શિથિલ સાધુઓ કેવા છે તેનું સ્વરૂપ બતાવ્યું. હવે સંવિજ્ઞપાક્ષિક સાધુ પણ ક્રિયામાં શિથિલ હોવા છતાં તેઓની ક્રિયા કેવી છે તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
કિરિયા લવ પણ જે જ્ઞાનીનો, દષ્ટિ થિરાદિક લાગે;
તેહથી સુજશ લહીજે સાહિબ, સીમંધર ! તુજ રાગે. ધન. ૨૪ ગાથાર્થ :
જે જ્ઞાનીનો જે સંવિજ્ઞપાક્ષિક જ્ઞાની સાધુનો, ક્રિયા લવ પણ છે જે કંઈ અલ્પ શાસ્ત્રાનુસારી ક્યિા છે, તે સ્થિરાદિ દષ્ટિને લાગે સ્થિરાદિક દૃષ્ટિને પ્રાપ્ત કરાવે, હે સીમંધરસ્વામી ! સાહેબ તમારા રાગે, તેહથી સુજશ લઈજે જ્ઞાનીની અલ્પ શાસ્ત્રાનુસારી ક્રિયાથી સુયશને પ્રાપ્ત કરીએ રજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org