________________
૧૩૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧પ/ગાથા-૨૨-૨૩ ચાલે છે, પરંતુ સંયમના પરમાર્થના જ્ઞાન વગર લોકોને ધંધે ઘાલે લોકોને ઉન્માર્ગમાં નાખે પોતાની બાહ્ય કઠોર આચર ણા એ જ ધર્મ છે તેવો મિથ્યાભ્રમ કરાવે, તેવા સાધુ માર્ગમાં કેમ ચાલે અર્થાત ભગવાને બતાવેલા મોક્ષમાર્ગમાં ચાલનારા નથી. રા. ભાવાર્થ -
કેટલાક સાધુઓ માત્ર બાહ્ય આચરણામાં રક્ત હોય છે અને શાસ્ત્રથી પણ તેઓને બાહ્ય આચરણા માત્રનો જ બોધ થાય છે પરંતુ સંયમની ક્રિયા ગુણસ્થાનક સાથે અને ગુણસ્થાનકની વૃદ્ધિ સાથે કઈ રીતે સંલગ્ન છે તેવો બોધ નથી તેથી મેલા વસ્ત્રો પહેરે છે અને કષ્ટમય જીવન જીવે છે આમ છતાં ચિત્ત નિર્લેપ નહિ હોવાથી તેમના ત્યાગની લોકો દ્વારા થતી પ્રશંસા તેમના ચિત્તને અડે છે તેથી લોકોની આગળ પોતે ઇર્યાસમિતિપૂર્વક ચાલે છે, ઇત્યાદિ ભાવો દેખાય તે રીતે યત્નાપૂર્વક પ્રવૃત્તિ કરે છે. પરંતુ તે પ્રવૃત્તિ અંતરંગ વિવેક વગરની હોવાથી બગલો જેમ માછલાને પકડવા માટે નીચે જોઈને બેઠેલો હોય છે તેના જેવી મોહથી આકૂળ તેઓની પ્રવૃત્તિ છે. વળી, પોતાને શાસ્ત્રોના પરમાર્થનું જ્ઞાન નથી તેથી લોકોને પણ ઉપદેશાદિ આપીને માત્ર બાહ્ય ત્યાગની આચરણામાં પ્રેરણા કરે છે તે સાધુ કઈ રીતે માર્ગમાં ચાલે અર્થાત્ ભગવાનના માર્ગથી બહાર છે. રિશા
ગાથા :
પરપરિણતિ પોતાની માને, વરતે આરતધ્યાને;
બન્ધમોક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે. ધન. ૨૩ ગાથાર્થ -
વળી, તે સાધુ સૂક્ષ્મ બોધવાળા નહિ હોવાથી પર પરિણતિરૂપ બાહ્ય આચરણા પોતાના આત્માની આચરણા છે એમ માને છે, અને બાહ્ય આચરણા કરીને આર્તધ્યાનમાં વર્તે છે પરંતુ મોહના ઉમૂલનને અનુકૂળ શુભધ્યાનમાં વર્તતા નથી, વળી, બંધ અને મોક્ષના કારણને જાણતા નથી, તે સાધુ પહેલા ગુણઠાણે છે અર્થાત્ મિથ્યાત્વ ગુણસ્થાનકે છે. ર૩માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org