SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૬/ગાથા-૧-૨ અહીં પ્રશ્ન થાય કે ભગવાનના ધ્યાનથી આપણો આત્મા ભગવાન તુલ્ય કેમ થઈ શકે તેથી કહે છે ભગવાનનું દ્રવ્ય, ભગવાનના જ્ઞાનાદિ ગુણો અને ભગવાનના તે તે ભાવે પરિણમન પામતા શુદ્ધ પર્યાયો જે પ્રમાણે નિર્મળ છે તે પ્રકારના નિર્મળ દ્રવ્યગુણ અને પર્યાયો મારા શક્તિથી છે અર્થાત્ તેવા જ મારા દ્રવ્ય ગુણ-પર્યાય છે પણ અત્યારે ફક્ત કર્મથી આવરાયેલા હોવાથી પ્રગટ નથી અને તેના કારણે ભવથી શામળા છે=ભવની પ્રાપ્તિને કારણે મારા દ્રવ્ય-ગુણ-પર્યાય મલિન છે. આથી ભગવાનના નિર્મળ એવા દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી પોતાનામાં રહેલા તે નિર્મળ દ્રવ્ય-ગુણ-પર્યાયો પ્રગટ થાય છે અને ભવથી જે શામળા દ્રવ્ય-ગુણપર્યાય વર્તી રહ્યા છે તે દૂર થાય છે. તેથી ભગવાન જેવી અવસ્થાની પ્રાપ્તિ અર્થે ભગવાનનું ધ્યાન જ ઉપાય છે. IIII અવતરણિકા - પૂર્વ ગાથામાં કહ્યું કે મારા દ્રવ્ય-ગુણ-પર્યાય ભવથી શામળા છે તેથી ભવને કારણે શામળા દ્રવ્ય-ગુણ-પર્યાયવાળી જીવની અવસ્થા કેટલા પ્રકારની છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ચાર છે ચેતનાની દશા અવિતથા, બહુશયન-શયન-જાગરણ-ચોથી તથા; મિચ્છ-અવિરત-સુયત-તેરમેં તેહની, આદિ ગુણઠાણે નયચક્ર માંહે મુણી. ૨ ગાથાર્થ : તેહનીસંસારના જીવોની, ચેતનાની અવિતથા દશા ચાર છે=ભવમાં રહેલા જીવોની યથાર્થ ચાર દશા છે, ૧. બહુશયન ૨. શયન ૩. જાગરણ, તથા=અને ૪. ચોથી, અનુક્રમે મિથ્યાત્વ, અવિરત, સુયત અને તેરમેં આદિ ગુણસ્થાનકમાં નયચક્રગ્રંથમાંહે મુણી-કહેવાઈ. ||રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy