Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 138
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૪-૧૫ ૧૨૫ ગાથા : સંયમ વિણ સંયતતા થાપે, પાપભ્રમણ તે ભાખ્યો; ઉત્તરાધ્યયને સરલસ્વભાવે, શુદ્ધપ્રરૂપક દાખ્યો. ધન. ૧૪ ગાળંથ : સંયમ વગર પોતાનામાં ભાવથી સંયમના પરિણામ વગર, સંયતતા થાપે પોતાનામાં સંયતપણું સ્થાપન કરે, તે પાપભ્રમણ કહેવાયો છે-તે સાધુને પાપી સાધુ કહેવાયો છે, ઉત્તરાધ્યયનસૂત્રમાં સરલ સ્વભાવમાં શુદ્ધ પ્રરૂપક કહ્યા છે. અર્થાત્ પોતાનામાં સંયમપણું ન હોય અને સરલ સ્વભાવે પોતે સંયમ પરિણામવાળા નથી, માત્ર સંયમની બાહ્ય ક્રિયા કરનારા છે તેમ કહેનાર સાધુને શુદ્ધ પ્રરૂપક કહ્યા છે. ll૧૪ll ભાવાર્થ : ગુણસ્થાનકની પરિણતિથી પોતાનામાં સંયમ ન દેખાય છતાં પોતે સંયત છે તેમ જે લોકો આગળ સ્થાપન કરે છે અને લોકો વડે સાધુ તરીકે પૂજાય છે તેવા સાધુને ઉત્તરાધ્યયનસૂત્રમાં “પાપશ્રમણ” કહ્યો છે. વળી, જે સાધુ પોતાનામાં સંયમનો પરિણામ નથી તેવું જાણીને સરલસ્વભાવથી યથાર્થ પ્રરૂપણા કરે છે અને કહે છે કે “સંયમની પરિણતિ આવા પ્રકારની છે અને તેવી પરિણતિ ધારણ કરવા અને સમર્થ નથી” અને તેવી સંયમની પરિણતિવાળા મહાત્માની પ્રશંસા કરે છે તે સાધુ સંયમી નહિ હોવા છતાં શુદ્ધપ્રરૂપક છે એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે. ll૧૪ અવતરણિકા :શુદ્ધપ્રરૂપણા કરનારા સંવિજ્ઞપાક્ષિક કેવા હોય છે તે સ્પષ્ટ કરે છે – ગાથા : એક બાલ પણ કિરિયાનયે તે, જ્ઞાનનયે નવિ બાલા; સેવા યોગ્ય સુસંયતને તે, બોલે ઉપદેશમાલા. ધન. ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196