Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ४४ જિનતત્ત્વ સિદ્ધા-વ્યતિ | [ સિદ્ધો પોતાના અનંત ગુણોને કારણે ભવ્ય જીવોમાં પ્રસિદ્ધ અર્થાત્ પ્રખ્યાત હોય છે. ] જિદૂ ગત્યાં – પાછા ન આવવું પડે એ રીતે ગયેલા તે સિદ્ધો. * * * કિપૂ સંરો – સિદ્ધ થયેલા, નિષ્ક્રિતાર્થ થયેલા. વિધૂ શાસ્ત્રમાં ત્યયો : જેઓ અનુશાસ્તા થયા અથવા સ્વયં માંગલ્યરૂપ થયા છે. સિદ્ધની જુદી જુદી વ્યાખ્યાઓના અર્થનો સમાવેશ કરતી નીચેની ગાથા શાસ્ત્રકારે આપેલી છે : ध्यातं सितं येन पुराणकर्म यो वा गतो निवृत्तिसौधमुर्जि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ।। [ જેઓએ પૂર્વે બાંધેલાં પ્રાચીન કર્મોને બાળી નાખ્યાં છે, જેઓ મુક્તિરૂપી મહેલની ટોચે પહોંચી ગયા છે, જેઓ જગતના જીવોને માટે મુક્તિમાર્ગનું અનુશાસન કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે, તથા જેમના સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે એવા શ્રી સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ. ] સિદ્ધ, પરમાત્મા માટે શાસ્ત્રકારોએ પર્યાયવાચક ભિન્ન ભિન્ન શબ્દો વિશિષ્ટ અર્થચ્છાયા સાથે પ્રયોજ્યા છે. “સિદ્ધાણં બુદ્ધાણં'ની પહેલી ગાથામાં કહ્યું છે : सिद्धाणं बुद्धाणं पारगयाणं, परंपरगयाणं लोएम्गमुवगयाणं नमो सया सबसिद्धाणं । આમ, સિદ્ધ-બુદ્ધ, પારગત, પરંપરાગત, લોકાગ્રગત, મુક્ત, ઉન્મુક્ત, અજર, અમર, અચલ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અશરીરી ઇત્યાદિ શબ્દો સિદ્ધ પરમાત્મા માટે પ્રયોજ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40