Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 11
________________ પ૧ સિદ્ધ પરમાત્મા ૪. લાંબું, ૫, પરિમંડલ). ૨. પાંચ વર્ણ (૧. શ્વેત, ૨. લીલો, ૩. પીળો, ૪. રાતો, ૫. કાળો) ૩. બે પ્રકારની ગંધ (સુગંધ અને દુર્ગધ) ૪. પાંચ રસ (૧. ખાટો, ૨, ખારો, ૩. તીખો, ૪. તૂરો, ૫. મધુર) ૫. આઠ સ્પર્શ (૧. ટાઢો, ૨. ઊનો, ૩. લૂખો, ૪, ચોપડો, ૫. હળવો, ૩. ભારે, ૭. સુંવાળો, ૮. બરછટ) ૩. એક શરીર-કાયયોગ છું. ત્રણ વેદ (સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ) ૮. એક પદાર્થ (પદાર્થસંગ) ૯, એક પુનર્જન્મ (ફરીથી જન્મ લેવો તે) આમ કુલ એકત્રીસ વસ્તુથી રહિત હોવાથી પ્રગટતા તે એકત્રીસ ગુણ આ રીતે પણ ગણાવવામાં આવે છે. આઠ પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો ઘાતિ કર્મો છે અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અધારિત કર્યો છે. ચાર ઘાતિ કર્મો આત્માનો ઘાત કરનારાં છે. ઘાતિ કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. અરિહંત પરમાત્મા ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રગટ થતાં તીર્થ પ્રવર્તાવે છે. એમને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મોનો ક્ષય કરવાનો બાકી હોય છે. સિદ્ધ પરમાત્માએ ચાર ઘાતિ અને ચાર અઘાતિ એમ આઠે કર્મોનો ક્ષય કરેલો હોય છે. એટલે કર્મક્ષયની દૃષ્ટિએ, મોક્ષગતિ પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ સિદ્ધ પરમાત્મા અરિહંત પ૨માત્મા કરતાં ચડિયાતા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી, અકર્મા અને અવિનાશી છે. અરિહંત પરમાત્મા દેહધારી હોય છે. અને એમનો દેહ પણ અંતે તો નાશવંત છે. અરિહંત પરમાત્માને હજુ ચાર અઘાતિ કર્મ ઉદયમાં વર્તતાં હોય છે. સિદ્ધ પરમાત્મા સર્વથા અકર્મા છે. અરિહંત પરમાત્માને હજુ નિર્વાણપદ પામવાનું, સિદ્ધ થવાનું બાકી હોય છે. કાળ શરીરભક્ષક છે અને તે અરિહંત પરમાત્માને પણ છોડતો નથી. પરંતુ અશરીરી સિદ્ધ પરમાત્મા તો કાળનું પણ ભક્ષણ કરનારા છે અર્થાત્ અવિનાશી છે. આમ, સિદ્ધ પરમાત્મા ચડિયાતા હોવા છતાં નવકારમંત્રમાં આપણો સર્વપ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને જ કરીએ છીએ કારણ કે સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40