Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ જિનતત્ત્વ સમક્તિ દર્શન, જ્ઞાન, અગુરુલઘુ અવગાહના, સૂકમ વીરજવાન, નિરાબાધ ગુણ સિદ્ધકે. સિદ્ધના આઠ ગુણ આ પ્રકારે ગણાવવામાં આવે છે : (૧) ક્ષાયિક સમ્યક્ત (૨) અનંત દર્શન (૩) અનંત જ્ઞાન (૪) અગુરુલઘુત્વ, (૫) અવગાહન ' (૯) સૂક્ષ્મત્વ, (૭) અનંત વીર્ય અને (૮) અવ્યાબાધ. સમય પસૂત્રમાં આઠ પ્રકારના કર્મોની કુલ એકત્રીસ પ્રકારની મુખ્ય પ્રકૃતિ બતાવી પદ્ધના એમ એકત્રીસ ગુણોનો નીચે પ્રમાણે નિર્દેશ કરવામાં આવ્યો છે. नद रिसणमि चत्तारि, आउए पंच आईमे अंते __ से : दो दो भेया रयीणाभिलावेण इगतीसं [નવ ગુણ દર્શન વરણીયના ક્ષયથી, ચાર આયુષ્ય કર્મના ક્ષયથી; પાંચ અંતરાય કર્મના ક્ષયથી અને બાકીનાં કર્મોના પ્રત્યેક ક્ષયથી બે બે એમ એકત્રીસ ગુણ થાય છે.] સિદ્ધ ભગવંતોએ આ કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય છે. એ આઠ કર્મના નીચે પ્રમાણે મુખ્ય એકત્રીસ પેટા પ્રકારો ગણાવવામાં આવે છે. એ કર્મથી સિદ્ધ ભગવંતો હોવાથી એ રહિતપ શું તેમના ગુણ તરીકે દર્શાવાય છે. (૧) પાંચ પ્રકારનાં જ્ઞાવરણીય કર્મથી રહિત (૨) નવ પ્રકારનાં દર્શનાવરણીય કર્મથી રહિત (૩) બે પ્રકારનાં વેદનીય કર્મથી રહિત (૪) બે પ્રકારનાં મોહનીય કર્મથી રહિત (૫) ચાર પ્રકારનાં આય કર્મથી રહિત (૬) બે પ્રકારનાં નામ કર્મથી રહિત (૭) બે પ્રકારનાં ગોત્ર કર્મથી રહિત (૮) પાંચ પ્રકારનાં અંતરાય કર્મથી રહિત આમ, કુલ ૩૧ પ્રકારનાં કર્મથી રહિત હોવાથી ૩૧ ગુણ થાય છે. સિદ્ધ ભગવંતના એકત્રીસ ગુણ અન્ય રીતે પણ ગણાવવામાં આવે છે. સિદ્ધ ભગવંતોમાં નીચેનાં એકત્રીસ પદાર્થો કે લક્ષણો નથી હોતાં. તેનાથી રહિતપણું તે તેમના ગુણ તરીકે દર્શાવાય છે. આ એકત્રીસ વસ્તુ નીચે પ્રમાણે છે : ૧. પાંચ પ્રકારનાં સંસ્થાન – (૧. વાટલું, ૨. ત્રિખૂણ, ૩. ચોખ્ખણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40