Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 33
________________ સિદ્ધ પરમાત્મા છે : જેમ કે અનંત + અનંત == અનંત (C+ C = C) અનંત – અનંત = અનંત (CL – O -- ) અનંત x અનંત = અનંત (OX O = ) અનંત : અનંત = અનંત (0 - 0 = 0) એટલે સંસારના અનંત જીવોમાંથી અનંત જીવો મોક્ષે જાય તો પણ સંસારમાં અનંત જીવો શેષ રહે. એટલે ગમે તેટલા જીવો સિદ્ધ બને તો પણ સંસાર ખાલી થઈ જવાનો પ્રશ્ન જ રહેતો નથી. આવી રીતે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની ઘટના જો નિરંતર ચાલતી હોય અને સંસારમાં ભવભ્રમણ કરતા જીવોનું અંતિમ લક્ષ્ય મોક્ષસુખ પામવાનું હોય એ વાતમાં આપણને જો સમ્યફ શ્રદ્ધા હોય તો આપણે પોતે એમ વિચારવું ઘટે કે કોઈક કાળ કોઈક ભવ્યાત્માએ ભવ્ય પુરુષાર્થ કરી સિદ્ધદશા પ્રાપ્ત કરી હશે ત્યારે તેમની સાથેના કોઈક ઋણાનુબંધથી મારો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી છૂટો પડી વ્યવહાર રાશિમાં આવ્યો હશે. જો તેમ ન થયું હોત તો હું હજુ પણ નિગોદના અનંતાનંત જીવોની જેમ નિગોદનું મહાદુઃખ વેઠી રહ્યો હોત. મને નિગોદમાંથી મુક્ત કરાવનાર એ સિદ્ધાત્મા મારે માટે પરમ વંદનીય છે. એ સિદ્ધાત્માના ઉપકારનો બદલો હું કઈ રીતે વાળી શકું ? વળી તેઓ તો હવે એવી દશામાં છે કે જ્યાં એમને કશું લેવાપણું પણ રહ્યું નથી. મારે એ ઋણમાંથી મુક્ત થવાનું તો બાકી જ છે. અનંત ભવભ્રમણ કરતાં કરતાં હું મનુષ્યગતિમાં આવી પહોંચ્યો છું અને મને જો હવે ધર્મરુચિ થઈ છે અને ઋણમુક્ત થવાના કર્તવ્યની સમજ આવી છે તથા સિદ્ધાત્માએ કરેલા પુરુષાર્થનો પ્રેરક, ઉપકારક આદર્શ મારી નજર સામે છે, તે મારું એ જ કર્તવ્ય છે કે મારે પણ સૂક્ષ્મ નિગોદના કોઈક એક જીવને મુક્ત કરીને વ્યવહારરાશિમાં લાવવો જોઈએ. આ હું ત્યારે જ કરી શકું કે જ્યારે પ્રબળ પુરુષાર્થ કરી હું પોતે સિદ્ધગતિ પામી શકે. એમ હું જ્યારે કરી શકીશ ત્યારે મારા બે મુખ્ય હેતુ સરશે. જે સિદ્ધાત્માએ નિગોદમાંથી મને બહાર કાઢ્યો અને સિદ્ધદશાનો આદર્શ મારી સમક્ષ મુક્યો છે તે હું પરિપૂર્ણ કરી શકીશ અને નિગોદમાંથી એક જીવને વ્યવહારરાશિમાં લાવીને હું ઋણમુક્ત બની શકીશ. આમ, મોક્ષપુરુષાર્થ એ ભવ્ય જીવોનું ઉભય દૃષ્ટિએ પરમ કર્તવ્ય બની રહે છે. સિદ્ધ ભગવંતોને વંદન કરવાનું સપ્રયોજન છે, એની પણ આથી પ્રતીતિ થશે. સિદ્ધ ભગવંતો મંગલરૂ૫ છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીપ્રણીત ધર્મ એ ચાર મંગલ, ચાર લોકોત્તમ અને ચાર શરણરૂપ છે. આ ચારમાં બીજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40