Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 31
________________ સિદ્ધ પરમાત્મા આ પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે બતાવવામાં આવે છે : (૧) એક સમયમાં એક, બે, ત્રણ એમ કરતાં વધુમાં વધુ બત્રીસ જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર સતત આઠ સમય સુધી સિદ્ધગતિ પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૨) એક સમયમાં તે પ્રમાણે તેત્રીસથી અડતાલીસની સંખ્યા સુધી જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર-સતત સાત સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૩) એક સમયમાં તે પ્રમાણે ઓગણપચાસથી સાઠની સંખ્યા સુધી જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર-સતત છ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૪) એક સમયમાં તે પ્રમાણે એકસઠથી બોતેરની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર પાંચ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૫) એક સમયમાં તે પ્રમાણે તોંતેરથી ચોર્યાસીની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર ચાર સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (ક) એક સમયમાં તે પ્રમાણે પંચાસીથી છન્નુની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર ત્રણ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૭) એક સમયમાં તે પ્રમાણે સત્તાણુથી એકસો-બે (૧૦૨)ની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે નિરંતર બે સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૮) એક સમયમાં તે પ્રમાણે એકસો ત્રણથી એકસો આઠની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે ફક્ત એક સમયે જ સિદ્ધગતિ પામી શકે. ત્યાર પછી એટલે કે બીજે સમયે અવશ્ય અંતર પડે. આમ, કોઈ પણ એક સમયે જઘન્ય એક જીવ અને ઉત્કૃષ્ટ ૧૦૮ જીવ મોક્ષગતિ પામી શકે. અનંત કાળથી જીવો મોક્ષે જાય છે, તો પણ તેઓ સંસારી જીવોના અનંતમા ભાગના હોય છે. જ્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો આ જ જવાબ હશે. અનંત કાળ પછી પણ આ જ જવાબ રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40