Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 29
________________ સિદ્ધ પરમાત્મા ફ આ પંદર દ્વારમાંથી કેટલીક મહત્ત્વની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવી છે (વધુ વિગતો માટે “સિદ્ધપ્રાભૃત', “સિદ્ધપંચાશિકા' વગેરે ગ્રંથ જોવા) : જુદા જુદા પ્રકારના સિદ્ધની અપેક્ષાએ એક સમયમાં વધુમાં વધુ કેટલા સિદ્ધ થાય ? એ માટે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે ? (૧) તીર્થકરના શાસનકાળ દરમિયાન અર્થાત્ તીર્થની પ્રવૃત્તિમાં એક “સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. (૨) તીર્થના વિચ્છેદના કાળમાં એક સમયમાં વધુમાં વધુ ૧૦ સિદ્ધ થાય. (૩) એક સમયમાં વધુમાં વધુ ૨૦ તીર્થકરો સિદ્ધ થાય. (૪) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સામાન્ય કેવલીઓ સિદ્ધ થાય. (૫) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વયંબુદ્ધ સિદ્ધ થાય. (૬) એક સમયમાં વધુમાં વધુ ૧૦ પ્રત્યેક બુદ્ધિ-સિદ્ધ થાય. (૭) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ બુદ્ધબોધિત સિદ્ધ થાય. (૮) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વલિગી સિદ્ધ થાય. (૯) એક સમયમાં વધુમાં વધુ ૧૦ અન્યલિગી સિદ્ધ થાય. (૧૦) એક સમયમાં વધુમાં વધુ ૪ ગૃહસ્થલિંગી સિદ્ધ થાય. (૧૧) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ પુરૂષલિંગી સિદ્ધ થાય. (૧૨) એક સમયમાં વધુમાં વધુ ર૦ સ્ત્રીલિંગી સિદ્ધ થાય. (૧૩) એક સમયમાં વધુમાં વધુ ૧૦ નપુંસકલિંગી સિદ્ધ થાય. (૧૪) આ બધા જુદા જુદા પ્રકારના ભેગા મળીને કોઈપણ એક સમયે વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. સિદ્ધગતિનાં દ્વાર નિરંતર ખુલ્લાં છે, છતાં ક્યારેય કોઈ જીવ સિદ્ધ ન થાય એવો કાળ પણ હોય છે. એવો અંતર કાળ કેટલો? એટલે કે બે સિદ્ધ કે સિદ્ધો વચ્ચેનું જધન્ય અને ઉત્કૃષ્ટ અંતર કેટલું? જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિનાનું અંતર સિદ્ધ થયા વિનાનું હોય છે. અવગાહના આશ્રીને સિદ્ધો નીચે પ્રમાણે થાય : (૧) જઘન્ય બે હાથની કાયાવાળા (વામન સંસ્થાનવાળા) એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય. (તેમની અવગાહના એક હાથ અને આઠ અંગૂલની રહે.) (૨) મધ્યમ કાયાવાળા એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. તેમની અવગાહના તેમની કાયાના લગભગ ૨/૩ ભાગ જેટલી રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40