Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 349
________________ ૩૦૨ પરમાત્મામાં ઓગાળી દેવાનું છે. અને એ રીતે આપણા આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ થાય, તે લક્ષ્યબિંદુને સિદ્ધ કરવાનું છે. તે માટે પૂર્વાચાર્યોએ અગાધ પ્રયત્ન કરેલો છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા “ડશક પ્રકરણ” નામના ગ્રંથમાં ફરમાવે છે કે – આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયજન સિદ્ધ થવાનું કારણ એ છે કે શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે. આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આત્મા જ્યારે સર્વાના સ્વરૂપમાં ઉપગવાળો બને છે, ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ ન હોવાથી તે સ્વયં સર્વજ્ઞ જેવું થાય છે. એ નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વતે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે. (નમસ્કાર સ્વાધ્યાય. પુ. ર૯૩) આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણ પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ–સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચિંતન્ય પરમાત્મારૂપ આ રીતે બનતું હોય તે. તેથી વધુ આપણા આ જીવનમાં શું કમાઈ શકવાના હતા? - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406