Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 406
________________ ચિત્રની સમજ સાધક પિતાના હૃદયમાં પરમાત્મ જાતિનું ધ્યાન કરે છે. તે પરમાત્મ જ્યોતિ પ્રકાશ સાધકના શરીર અને આત્મપ્રદેશમાં ફેલાય છે, તેથી બ્રહ્મરંધ્રમાં આત્મજતિનું દર્શન થાય છે. સાધકના શરીરની બહાર આભામંડલ રચાય છે. સાધકના મસ્તક ઉપર શુદ્ધ આત્મ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, તેમને સાધક આત્મા જીવનના લક્ષાંકરૂપે સ્થિર કરે છે. - પરમાત્મ જાતિના ધ્યાનના પ્રભાવથી સાધકને ભેદજ્ઞાન થાય છે. પરમાત્મ સ્વરૂપના ધ્યાનના પ્રભાવે સાધક દેહ, મને, વચન, પુદ્ગલ (દશ્યમાન પદાર્થો), તથા કર્મ (જ્ઞાનાવરણીય આદિ)થી ભિન્ન અનંતસુખ અને આનંદના નિધાન, સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર કરે છે. કાળું શરીર છે તે કામણ શરીરનું પ્રતીક છે. સફેદ શરીર શુદ્ધ આત્મ ચૈતન્યને દર્શાવે છે. અરિહંત અને સિદ્ધ ભગવંતના ધ્યાન દ્વારા આત્માને અનુભવ કરવાની દિવ્ય પ્રક્રિયા આ ચિત્રમાં બતાવી છે. આ પુસ્તકના ઉત્તરાર્ધમાં છેલે કરૂણાસાગર પ્રભુ મહાવીરસ્વામિની દેશનાની નીચેની કડીઓનું રહસ્ય આ ચિત્રમાં બતાવેલ છે. 1. અરિહંત પદ યાતા થકે, દુવ્રહ ગુણ પુજય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. 2. રૂપાતીત સ્વભાવ જે, કેવળ દેસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધ ગુણ ખાણી રે. 3. મહાવીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજે ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. પરમાત્માના ધ્યાનમાં તદ્ર 5 બનેલા ધ્યાતા જેટલો સમય પરમાત્માના ધ્યાનમાં તદાકાર ઉપયોગે પરિણમે છે તેટલા સમય પૂરતો ભેદને છેદ કરી ધ્યાતા પિતે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મરૂપ બને છે. મુખપૃષ્ઠઃ પ. પૂ. પં. અમયસાગરજી ગણિવરના સૌજન્યથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 404 405 406