SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ પરમાત્મામાં ઓગાળી દેવાનું છે. અને એ રીતે આપણા આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ થાય, તે લક્ષ્યબિંદુને સિદ્ધ કરવાનું છે. તે માટે પૂર્વાચાર્યોએ અગાધ પ્રયત્ન કરેલો છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા “ડશક પ્રકરણ” નામના ગ્રંથમાં ફરમાવે છે કે – આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયજન સિદ્ધ થવાનું કારણ એ છે કે શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે. આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આત્મા જ્યારે સર્વાના સ્વરૂપમાં ઉપગવાળો બને છે, ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ ન હોવાથી તે સ્વયં સર્વજ્ઞ જેવું થાય છે. એ નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વતે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે. (નમસ્કાર સ્વાધ્યાય. પુ. ર૯૩) આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણ પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ–સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચિંતન્ય પરમાત્મારૂપ આ રીતે બનતું હોય તે. તેથી વધુ આપણા આ જીવનમાં શું કમાઈ શકવાના હતા? - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy