Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 397
________________ - - * - suvadવારા ક 1 * ! - - * ****** * રવામાંefT}}=+ નામ " उप સુધી પહોંચવાને આપણે એક બાળક જે પ્રયતન દેવગુરૂની કૃપા દ્વારા થયે. આ મહાપુરુષે આત્મઅનુભવનો આત્મસાક્ષાત્કારને દિવ્ય અમૃતરસ ચાખે. અને તે અનુભવરસ ચાખવા માટેની પ્રેરણા અને પ્રક્રિયા આપણને બતાવી. આ મહાન ગ્રંથમાં બતાવેલા ભાવેના અમૃતરસનું પાન આપણે પૂર્ણ ઉત્કંઠિત થઈએ તેટલું ફરી ફરી પરિશીલન દ્વારા કરીએ. છેલ્લે હવે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના એક સ્તવનના ચિંતન દ્વારા આપણે પણ પરમામાના ચરણે આપણું જીવન સમર્પિત કરીએ. “સ્વામી તુમે કાંઇ કામણ કીધું, ચિત્તડું અમારું ઘેરી લીધું. અમે પણ તેમશું કામણ કરશું, ભો રહી મન ઘરમાં ધરશું; સાહિબા વાસુપૂજ્ય જિમુંદા, મેહના વાસુપૂજ્ય જિમુંદા. હે કરુણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્ય રસના ભંડાર, અરિહંત પરમાત્મા ! તમારા અદ્દભુત સ્વરૂપે અમારા ઉપર કામણ કર્યું છે. તમારી લોકોત્તર ઉપકારકતા, તમારી અનંત કરુણામય અમૃત ઝરતી દષ્ટિ અમે નિગદમાં હતા ત્યારથી જ એટલે કે અનાતકાળથી તમારી અમને તારવાની વિશ્વકલ્યાણકારી ભાવનાએ અર્થાત્ તમારા આવા મહાન ગુણોએ અમારું ચિત્ત ચોરી લીધું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406