Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 390
________________ ૩૫૦ ઉદક પામૃત કલ્પજ્ઞાન તિહાં, ત્રીજો અનુભવ મીઠો; તે વિણ સકલ તૃષા કિમ ભાંજે, અનુભવ પ્રેમ ગરીઠે રે. જ્ઞાન ત્રણ પ્રકારનું છે – પહેલું પાણી જેવું. એટલે ત્રણ કલાક તૃષા છીપાવે. વળી પાછી તૃષા લાગે; તેમ શ્રુત જ્ઞાન મેળવતી વખતે આનંદ આવે, પણ ફરી તૃષા લાગે. બીજું “દૂધ જેવું.” એટલે દૂધ પીવાથી બાર કલાક ભૂખ અને તૃષા બને છીપે; તેમ મેળવેલા જ્ઞાન ઉપર ઊંડું ચિંતન –મનન થતાં વધુ વખત ભૂખ – તૃષા છીપે, એટલે તૃપ્તિનો આનંદ આવે, પણ ફરી પાછી ભૂખ-તૃષા લાગે. ત્રીજુ “અમૃત” જેવું એટલે અમૃત પીવાથી સદા માટે ભૂખ-તૃષા મટી જાય; તેમ અનુભવજ્ઞાન પ્રાપ્ત થતાં સદા માટેની તૃષ્ણ નાશ પામી, આત્મસ્વરૂપનો આનંદ અનુભવાય છે. પ્રેમ તણ પેરે શીખો સાધે, જેઈ શેલડી સાંઠે; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે. શેરડીના સાંઠામાં જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી અને જ્યાં રસ છે ત્યાં ગાંઠ નથી. આ શેરડીના સાંઠાનું દષ્ટાંત લઈ સંસારી મનુષ્ય જે રીતે પ્રેમ કરે છે, તે રીતે અભેદતાથી અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. એક પ્રેમી માણસ પોતાની પ્રેમિકાના ઘેર ગયે. || બારણું ખખડાવ્યું. અંદરથી અવાજ આવ્યો : “તમે કેસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406