Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 220
________________ 208 શ્રાવક જીવન વ્રતનિયમોની આજ અનિવાર્યતા છે : આવી સ્થિતિમાં વ્રત અને નિયમ કેટલા આવશ્યક છે એ વાત તમે લોકો સમજી શકો છો. અહીં બેઠેલા કેટલાક મહાનુભાવો એ માટે પરેશાન છે, કારણ કે ઘરમાં શરાબની બાટલીઓ આવી ગઈ છે ! એમના ઘરોમાં ઈંડાં આવવા લાગ્યાં છે ! તેઓ રોકી શકતા નથી. પરેશાન છે ! પરંતુ તે લોકો પોતાની ભૂલ કબૂલ કરશે કે તેમણે સંતાનોને બાળપણથી વ્રત - નિયમોનો મહિમા બતાવ્યો નથી. બચપણથી સદાચારોનું શિક્ષણ આપ્યું નથી. બચપણથી સંતાનોના મનમાં પાપોનો ભય ભય નથી..આ વાતો લોકો કબૂલ કરશે? ઉપસંહાર : હજુ પણ તમે લોકો જાગૃત થઈને વ્રતનિયમોનો મહિમા સમજો. સદાચારનો મહિમા સમજો. તમારા અને તમારા પરિવારના લોકોના જીવનમાં વ્રતપાલન હોય એવું વાતાવરણ ઉત્પન્ન કરો. વાતાવરણ બગડતું જાય છે, છતાં પણ તમે રોકી શકો છો. નિરાશ થવાની જરૂર નથી. ઉપાય અને ઉપચાર શોધતા રહો. જરૂર આવા ઉપાયો મળી રહેશે. "દેશાવકાસિક વ્રત” એ લોકો માટે છે કે જેમણે બાર વ્રતો અંગીકાર કર્યો છે, અને જેમની મનોવૃત્તિ નિવૃત્તિ પ્રત્યે આકર્ષિત થઈ ગઈ છે ! વ્રતપાલન વિશેષ દ્રઢતાથી કરવાના મનોરથ જેમના મનમાં પેદા થયા હોય. આવા લોકો એ વ્રતને દોષ લગાડ્યા વગર સારી રીતે તેનું પાલન કરી શકે છે. નિવૃત્તિનું લક્ષ્ય બનાવીને, વ્રતગ્રહણ કરીને, તેને સારી રીતે પાળીને આત્મકલ્યાણના પથ ઉપર અગ્રેસર થાઓ એ જ મંગળ કામના. . આજ બસ, આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254