Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 230
________________ 218 શ્રાવક જીવન પૌષધવ્રતમાં સૂવા માટે જે વસ્ત્ર પાથરવામાં આવે છે તેને સસ્તારક કહેવામાં આવે છે. સંસ્તારકનું પણ અભિલેખન કરવું જોઈએ. જે જગાએ સંસ્મારક પાથરવું હોય એ જમીનનું પણ પ્રમાર્જન, સાફસૂફી કરવી પડે. જો પ્રતિલેખન અને પ્રમાર્જન ન કરે તો સંતાપ૩પક્રમે નામે અતિચાર લાગે છે. પૌષધમાં પ્રતિલેખન કરીને જ સંસ્તારકનો ઉપયોગ કરવો જોઈએ. પૌષધશાળાનું પણ પ્રમાર્જન કરવું જોઈએ. સંસ્તારક શુદ્ધ વસ્ત્રનું હોય કે પછી દર્ભનું હોય, તેને જમીન ઉપર પાથરીને જ સૂવું જોઈએ. મકાનની બહાર જવાનું થાય તો સસ્તારકનું પ્રતિલેખન કરવું જોઈએ. ન કરે તો અતિચાર લાગે છે. પૌષધ ગ્રહણ કર્યા પછી જે પૌષધિવ્રત પ્રત્યે અનાદર રાખે તો અતિચાર લાગે છે. ભૂલી જાય કે "મેં પહેલાં પૌષધ કર્યું છે કે નહીં” તો પણ અતિચાર લાગે છે. સ્મૃતિભ્રંશ પણ અતિચાર છે. આ રીતે અતિચારોને જાણીને, અતિચાર ન લાગે એ રીતે પૌષધનું પાલન કરવું જોઈએ. આ રીતે દોષ રહિત વ્રતનું પાલન કરવાથી નિવૃત્તિધર્મના પાલનનો આનંદ . પ્રાપ્ત થાય છે. નિષ્પાપ જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યનું પાલન : અબ્રહ્મ-મૈથુન મોટું પાપ છે. મૈથુન વૃત્તિ ઉપર વિજય પામવા માટે બ્રહ્મચર્યનું પાલન આવશ્યક છે. પૌષધમાં તમે મન, વચન, કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરી શકો છો. મૈથુનસંજ્ઞા ઉપર વિજય પામવો, મનુષ્ય માટે સરળ તો નથી છતાં પણ અનિવાર્ય છે. પરિગ્રહસંજ્ઞા ઉપર વિજય પામવાનો છેઃ પૌષધમાં કોઈપણ પ્રકારનો વેપાર કરવાનો નથી; કારણે અનાદિકાળથી ચાલતી પરિગ્રહસંજ્ઞા ઉપર વિજય પામવાનો છે. મૈથુનસંજ્ઞા જેવી જ ખતરનાક આ પરિગ્રહસંજ્ઞા છે.” મારે અપરિગ્રહી બનવું છે.” એ ભાવનાની સાથે પૌષધદ્રત કરવાનું છે. ઉપસંહાર : પૌષધદ્રત સાધુજીવનનો પૂર્વ-અભ્યાસ છે. મન જ્યારે નિવૃત્તિપ્રિય બને છે ત્યારે પૌષધદ્રત કરવાનો આનંદ અનુભવાય છે. જો પૌષધમાં આનંદનો અનુભવ નહીં થતો હોય તો તમે વિકથાઓ કરતા રહેશો. નિંદા-રસનો આનંદ લૂંટતા રહેશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254