Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 229
________________ 217 ભાગ - 1 મૃત્યુ સમયે શુભ વિચારધારા વહેતી હોય તો સદ્ગતિ નિશ્ચિત છે. પરંતુ જીવનમાં શુભ વિચારધારાનો અભ્યાસ કર્યો હોય ત્યારે જ મૃત્યુ સમયે શુભ વિચારધારાની શક્યતા રહે છે. અથવા જીવનમાં કોઈ વાર શુભભાવોના વહન સમયે દેવગતિનું આયુષ્ય કર્મ બાંધી લીધું હોય તો મૃત્યુ સમયે શુભ વિચારો આવશે જ. એક વાત નિશ્ચિત છે કે મૃત્યુ સમયે શુભ-પવિત્ર વિચારો રહેશે તો સગતિ થશે અને અશુભ વિચારો રહેશે તો દુર્ગતિ થશે. પૌષધિવ્રતમાં નિરંતર શુભ વિચારો જ વહેતા રહેવા જોઈએ. કોઈ અતિચાર દોષ ન લાગે, એની પૂર્ણ સભાનતા રાખવી જોઈએ. હવે આ પૌષધવ્રતના પાંચ અતિચારો બતાવું છું. ગ્રંથકાર આચાર્યશ્રીએ લખ્યું अप्रत्युपेक्षित-अप्रमार्जित-उत्सर्ग-आदाननिक्षेप संस्तारोपक्रमण-अनादर-स्मृत्यनुपस्थापनानि / મેં પહેલાં જ કહ્યું હતું કે પૌષધવ્રતમાં સાધુ જેવા બનવાનું છે. એની દિનરાતના ક્રિયા-ચય સાધુ જેવી હોય છે. શ્રાવકે પૌષધમાં જ્યાં બેસવાનું હોય તે જગા જોઈ લેવી જોઈએ. સારી રીતે જોઈ લેવી જોઈએ. જો ન જુએ તો પ્રત્યુત્તેક્ષિતનામનો પ્રથમ અતિચાર લાગે છે. એ રીતે જે જગાએ બેસે છે. એ જગાને રજોહરણ (ચરવલા) દ્વારા સાફ કરી દેવી જોઈએ. વસ્ત્રના છેડાથી સાફ કરવી જોઈએ. જો આ પ્રમાણે પ્રમાર્જન ન કરે તો અથવા કરે પણ સારી રીતે ન કરે, ઓછી સાફ કરે, થોડી કરે, થોડી ન કરે તો “અપ્રમતનામનો અતિચાર લાગે છે. એ રીતે જમીનને દ્રષ્ટિથી જોયા વગર જમીન ઉપર પાણી ઢોળે છે, મૂત્ર તેમજ વિષ્ટાનું ઉત્સર્જન કરે છે તો ઉત્સનામે અતિચાર લાગે છે. શ્રાવકે પૌષધવ્રતમાં એવી જમીન ઉપર પાણી-મૂત્ર, વિષ્ટાનો ત્યાગ કરવો જોઈએ, કે જ્યાં નાનામોટા જીવ ન હોય. દ્રષ્ટિથી જોઈને, જો જીવ ન હોય તો જ પાણી વગેરે નાખવાં જોઈએ. એ રીતે પૌષધદ્રતમાં ઉપયોગી ધમપકરણ લેતી વખતે, જમીન ઉપર મૂકતી વખતે પણ (આદાન-લેવું, નિક્ષેપ-મૂકવું) દ્રષ્ટિ અને ચરવલા દ્વારા પ્રમાર્જન કરવું જોઈએ. જો ન કરવામાં આવે તો માન-નિકો નામે દોષ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254